ઉત્તર ગુજરાતમાં આવેલી દૂધસાગર ડેરીના 'સાગર' બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલમાં દૂધસાગર ડેરના ઘીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જેને લઇને મહેસાણામાં રિટેલ બિઝનેસ ઉપર મોટી અસર જોવા મળી છે. જો કે ભેળસેળના મામલો સામે આવ્યાં બાદ વહીવટદારો એકશન મોડમાં જોવા મળ્યા. જેને લઇને 40 કર્મીઓની બદલી કરી નાંખવામાં આવી.
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળનો મામલો
મહેસાણામાં રિટેલ બિઝનેશ ઉપર પડી મોટી અસર
વહીવટદારે 40 કર્મચારીઓની બદલી કરી
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઘીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ ઘીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ઘીના વેચાણમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મહેસાણામાં રિટેલ બિઝનેશ ઉપર મોટી અસર પડી છે.
દૂધસાગર ડેરીનું ઘી ખરીદનાર લોકોની સંખ્યા પણ ઘટી હોવાનું સામે આવ્યું છે. બ્રાન્ડ નેમને મોટો ફટકો પડ્યા બાદ વેચાણમાં ઘટાડો થયો છે. જેની સાથે ડેરીના કર્મચારીઓની મંડળી સહયોગના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
દૂધસાગર ડેરીમાં વહીવટદાર એક્શન મોડમાં
મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીમાં દૂધમાં ભેળસેલ કરવા મામલે એકશન મોડમાં જોવા મળી છે. ડેરીના વહીવટદારે 40 કર્મીઓની બદલી કરવામાં આવી છે. ઘીમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ આ બદલી કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળ થઇ તે સમયે રહેલા કર્મીઓની બદલી કરવામાં આવી છે.
ઘીમાં ભેળસેળનો શું હતો મામલો?
સાગર’ બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું
ભેળસેળ કરવાનું કૌભાંડ રાજસ્થાન પોલીસે ઝડપ્યું હતું
રાજસ્થાન પોલીસે કૌભાંડમાં 90 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી
સાગર’ બ્રાન્ડ ઘીનું અમૂલ ફેડ ડેરીની લેબોરેટરીમાં કરાયુ્ં હતું પરિક્ષણ
ઘીમાં 16% પામ ઓઇલ ભેળસેળ હોવાનું પરિક્ષણમાં નોંધાયું હતું