પાટણ અને મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં કડવા પાટીદાર સમાજના લોકો છે. તેમાં સૌથી વધારે 84 ગામ કડવા પાટીદાર સમાજના લોકો છે. આ 84 ગામ પાટીદાર સમાજ એક એવો નિર્ણય કર્યો છે. જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે.
પાટીદારના સમાજનો એક નિર્ણય
કેમ કર્યો શિક્ષિત સમાજે આ નિર્ણય
શું આ સમાજને શોભે છે આવો નિયમ
પાટીદાર સમાજ ગુજરાતનો સમૃદ્ધ અને શિક્ષિત સમાજ છે. એવો કોઈ ધંધો કે ઉદ્યોગ કે પછી નોકરી નહીં હોય કે જેમાં પાટીદાર ન હોય. ધનાઢ્ય આ સમાજ પાસે ધનની કોઈ કમી નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે જ્યારે પાટીદારોની કોઈ સામાજિક કે ધાર્મિક સંસ્થા બનતી હોય કે તેનો કોઈ પ્રસંગ હોય ત્યારે જે દાનનો ધોધ વહે છે તે જોવા જેવો હોય છે. મિનિટમાં કરોડો રૂપિયા આવી છે. માત્ર ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ આ સમાજે પોતાની મોટી છાપ છોડી છે. આ જ સમાજમાં કડવા પાટીદાર સમાજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બહોળા પ્રમાણમાં છે. મહેસાણા અને પાટણ જિલ્લામાં આ સમાજની મોટી વસ્તી છે. ત્યારે 84 ગામ કડવા પાટીદાર સમાજે એક એવો નિર્ણય કર્યો કે સમાજની કોઈ દીકરી આંતરજ્ઞાતિ લગ્ન કરે તો તેની સાથે સંબંધ ન રાખવા ફરમાન કરવામાં આવ્યું.
પ્રેમ લગ્ન કરનારી દીકરીઓનો બહિષ્કાર કરો: નિર્ણય
સમાજના પ્રમુખ ભલે ગોળ ગોળ વાત કહી રહ્યા હોય પરંતુ નિરમા કંપનીના માલિક કરશનભાઈ પટેલના વતન રૂપપુરમાં યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકોની સાથે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત હતા અને આ બધાની ઉપસ્થિતિ વચ્ચે નિર્ણય કરવામાં આવ્યો છે. એવો નિર્ણય કરાયો છે કે પ્રેમ લગ્ન કરનારી દીકરીઓનો બહિષ્કાર કરો. સાથે સમાજના કુરિવાજો અને વિવિધ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ બંધ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજે ભલે આ નિર્ણય કર્યો હોય પરંતુ આજના આધુનિક સમાજમાં આ ફરમાન વિવાદાસ્પદ જ ગણાય છે. દેશ આજે ચાંદ પર પહોંચ્યો છે અને દીકરીઓ વિશ્વની સૌથી મોટામાં મોટી ખુરશીઓ પર બેઠી છે. જ્યારે આ સમાજ આંતરજ્ઞાતિ લગ્નનો વિરોધ કરે છે અને દીકરીના બહિષ્કારની વાત કરે છે. આજના આધુનિક જમાનામાં એક દીકરીને પોતાનો મનપસંદ જીવનસાથી શોધવાની તક ન મળવી તે પણ એક દુષણ છે. જો કે આ નિર્ણયને લઈ સમાજના લોકોમાં વિભિન્ન મત છે.
તો સુખી સંપન્ન અને શિક્ષિત કહેવાતા પાટીદાર સમાજે આવું ફરમાન કેમ કરવું કરવું પડે છે ? તે પણ જાણવું જોઈએ.
સમાજમાં દીકરીઓની ઘટ છે
દીકરીને ક્યાં પરણાવવી તે અંગે મા-બાપના ખ્યાલો આકાશને આંબી જાય તેવા છે
ઘણા બધા કિસ્સામાં દીકરીનું ભણતર દીકરા કરતા વધુ હોવાથી આંતરજ્ઞાતિય લગ્ન થાય છે
દીકરીઓની ઘટને કારણે સારા ઘરના અનેક છોકરાએ રહી જાય છે અપરણિત
આજે પણ પટેલ સમાજમાં અપરણિત રહેવું સામાજિક શરમનો વિષય
છોકરાને પરણાવવા પટેલ સમાજે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે
દીકરાને પરણાવવા કુટુંબ કરોડોનો ધંધો શરૂ કરે છે
પુરૂષ અપરણિત રહે તે સારા સમાજનું લક્ષણ નથી
ઉત્તર ગુજરાતમાં વસતા કડવા પાટીદારો અલગ અલગ સમાજમાં વહેંચાયેલા છે. જેમકે 42 ગામ કડવા પાટીદાર, 27 ગામ કડવા પાટીદાર, નાના 12 ગામ પાટીદાર સમાજ, મોટા 12 ગામ પાટીદાર સમાજ, 84 ગામ કડવા પાટીદાર સમાજનો સમાવેશ થાય છે. આ બધા સમાજોમાં 84 ગામ પાટીદાર સમાજ બહુ મોટો છે. આર્થિક રીતે સદ્ધર પણ છે. ત્યારે સમાજના આ નિર્ણયના અલગ અલગ મત લોકો પોત પોતાની રીતે કાઢી રહ્યા છે.