કોરોના વાયરસ અને મંકીપોક્સના ભય વચ્ચે ભારતમાં એક નવા વાયરસે દસ્તક આપી છે અને કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં નોરોવાયરસના 2 કેસ નોંધાયા છે.
કોરોના અને મંકીપોક્સ બાદ ભારતમાં નવા વાયરસની એન્ટ્રી
આ વાયરસના કેસની પુષ્ટિ કેરલમાં થઈ
આ વાયરસના આવા છે લક્ષણો
કોરોના વાયરસ અને મંકીપોક્સના ભય વચ્ચે ભારતમાં એક નવા વાયરસે દસ્તક આપી છે અને કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં નોરોવાયરસના 2 કેસ નોંધાયા છે. જો કે, નોરોવાયરસથી સંક્રમિત બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેમને હાલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ સાથે વહીવટીતંત્રે બચાવ માટે જરૂરી કાર્યવાહી તેજ કરી છે અને લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ વિસ્તારમાં નોરોવાયરસના 2 કેસની પુષ્ટિ થઈ
કેરળના સ્વાસ્થ્ય મંત્રી જ્યોર્જે કહ્યું કે, 'કેરળની રાજધાની તિરુવનંતપુરમના વિઝિંજમ વિસ્તારમાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ થઈ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આરોગ્ય વિભાગે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. વિસ્તારમાંથી સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને બચાવ માટે જરૂરી કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ સાથે, તેમણે કહ્યું છે કે ચેપગ્રસ્ત મળી આવેલા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે.
2 cases of Norovirus confirmed in Vizhinjam; no need for concern. Health Dept has assessed the situation; samples have been collected & tested from the area & preventive actions have been intensified. Condition of the 2 children stable: Kerala Health Min Veena George
નોરોવાયરસ એ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રસારિત થતો વાયરસ છે, જે જઠરાંત્રિય રોગનું કારણ બને છે. આ વાયરસ દૂષિત સ્થળોના સંપર્કમાં આવવાથી અથવા દૂષિત ખોરાક ખાવાથી વ્યક્તિને ચેપ લગાવી શકે છે. આ સિવાય તે એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં પણ ફેલાઈ શકે છે. એટલું જ નહીં, વ્યક્તિ નોરોવાયરસથી ઘણી વખત સંક્રમિત થઈ શકે છે, કારણ કે તેના ઘણા પ્રકારો છે.
નોરોવાયરસના લક્ષણો શું છે ?
નોરોવાયરસ કોઈપણ માણસના પેટ પર હુમલો કરે છે અને પેટમાં પહોંચતાની સાથે જ આંતરડાના અસ્તરમાં બળતરા પેદા કરે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અને જઠરાંત્રિય લક્ષણો જેવા લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત ચેપગ્રસ્ત દર્દીમાં તાવ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો પણ જોવા મળે છે. સામાન્ય રીતે આ વાયરસ તમામ ઉંમરના લોકોને ચેપ લગાવી શકે છે, પરંતુ બાળકો, વૃદ્ધો અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગોવાળા લોકોમાં તે વધુ ગંભીર હોઈ શકે છે. વાયરસના સંપર્કમાં આવ્યાના 12 થી 48 કલાક પછી લક્ષણો વિકસે છે, જ્યારે સમયસર સારવાર શરૂ કરવામાં આવે તો ચેપગ્રસ્ત વ્યક્તિ 3 દિવસમાં સ્વસ્થ થઈ શકે છે.
નોરોવાયરસથી બચવાની રીતો
અત્યાર સુધીની પ્રારંભિક તપાસમાં નોરોવાયરસ જીવલેણ હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ હજુ સુધી તેની સારવાર માટે કોઈ દવા ઉપલબ્ધ નથી. તેથી જ નિવારણ એ શ્રેષ્ઠ ઉપાય છે. ડોકટરો ચેપગ્રસ્ત દર્દીને પુષ્કળ પાણી અને પ્રવાહી પીવાની સલાહ આપે છે. દરરોજ પ્રાણીઓના સંપર્કમાં આવતા લોકો માટે તેનું જોખમ સૌથી વધુ છે. આવા લોકોને બચાવવાની જરૂર છે. નોરોવાયરસથી બચવા માટે ડોકટરો હાથને સાબુ અને હૂંફાળા પાણીથી સારી રીતે ધોવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય તાજો ખોરાક લો અને જો તમે બીમાર અનુભવો છો તો ઘરમાં જ રહો. સેનિટાઈઝરથી પણ નોરોવાઈરસ મરતો નથી, તેથી હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે નહીં.