નોર્વેના પેન્શન ફંડ KLP એ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડમાંથી પોતાનો હિસ્સો વેચી દેવાનો નિર્ણય કર્યો છે.
નોર્વેના પેન્શન ફંડે અદાણી પોર્ટમાંથી હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો
KLP ફંડ અદાણી પોર્ટમાં 1.05 મિલિયન ડોલરનું રોકાણ ધરાવે છે
મ્યાનમારમાં પોર્ટના મુદ્દે કર્યો નિર્ણય
મ્યાનમાર મિલિટરીની જમીન પર બની રહ્યું છે કન્ટેનર ટર્મિનલ
માનવ અધિકારને લઈને ચાલી રહ્યો છે વિવાદ
અદાણી અને મ્યાનમાર મિલિટરી વચ્ચેનો સંબંધ બહાર આવ્યા બાદ નોર્વેના પેન્શન ફંડ KLP એ પોતાનો હિસ્સો ઉપાડી લેવાનો નિર્ણય કર્યો છે. KLP ફંડ અદાણી પોર્ટમાં 1.05 મિલિયન ડોલરનું રોકાણ ધરાવે છે. મ્યાનમાર પોર્ટના મુદ્દે આ નિર્ણય લેવાયો છે. મ્યાનમાર મિલિટરીની જમીન પર કન્ટેનર ટર્મિનલ બની રહ્યું છે.
KLP એ એક નિવેદન જારી કરીને જણાવ્યં કે મ્યાનમારમાં અદાણીના કામકાજ તથા ત્યાં લશ્કરી દળો સાથેની તેની બિઝેનેશ ભાગીદારી જવાબદાર રોકાણ માટેની કેએલપીની ગાઈડલાઈનના ઉલંલઘન સમાન છે.
કેપીએલે જણાવ્યું કે મ્યાનમારની આર્મી દ્વારા અદાણીના પોર્ટનો ઉપયોગ થઈ શકે છે અને આ રીતે માનવાધિકારનો ભંગ થઈ શકે છે. તેથી અમે અદાણી સાથેની ભાગીદારીમાંથી નીકળી જવાનું પસંદ કર્યું છે. કેપીએલે જણાવ્યું કે મ્યાનમારની મિલિટરીની માલિકીની જમીન પર કન્ટેનર ટર્મિનલ બાંધવામાં આવી રહ્યું છે.