સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રસાદમાં મીઠાઈ કે કંઈક ગળ્યુ ચઢાવવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં મીઠાઈ નહીં પણ નુડલ્સ ચઢાવવામાં આવે છે.
આપણા દેશમાં છે અનોખુ મંદિર
આ મંદિરમાં પ્રસાદમાં ચઢાવવામાં આવે છે નુડલ્સ
જાણો તેના પાછળ શું છે કારણ
કોઈ પણ મંદિરમાં સામાન્ય રીતે ભગવાનને લાડવા કે મિઠાઈનો ભોગ લગાવવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં એક એવું અનોખું મંદિર છે જ્યાં ભગવાનને ચાઈનીઝ ફૂડ ચઢાવવામાં આવે છે. અહીં ભક્તોને પ્રસાદ તરીકે નુડલ્સનું આપવામાં આવે છે.
કલકત્તામાં છે આ મંદિર
કલકત્તાના ટેંગરા વિસ્તારમાં એક 'ચાઈનીઝ કાલી મંદિર' છે. આ વિસ્તાર ચાઈના ટાઉન તરીકે ઓળખાય છે. ગલીમાં આવેલું આ મંદિર તિબેટીયન શૈલીનું છે. આ મંદિરની ગલીમાં જૂના કલકત્તા અને પૂર્વ એશિયાની સુંદર સંસ્કૃતિની ઝલક જોઈ શકાય છે.
ચાઈનીઝ અગરબત્તીનો થાય છે ઉપયોગ
મંદિરમાં ભોગ તરીકે ચાઈનીઝ વાનગીઓ ચઢાવવાની સાથે અહીં પ્રગટાવવામાં આવતી અગરબત્તીઓ પણ ચીનની છે. પ્રસાદ સિવાય અહીંની સુગંધ પણ બાકીના મંદિરોથી અલગ છે. એક બંગાળી પૂજારી મંદિરમાં પૂજા કરે છે અને દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે ખાસ પ્રસંગોએ અહીં હાથથી બનાવેલા કાગળો બાળવામાં આવે છે.
ચાઈનીઝ પ્રસાદ ચઢાવવાનું ચમત્કારી છે કારણ
માતા કાળીના આ મંદિરમાં ચાઈનીઝ પ્રસાદ ચઢાવવાનું એક ખાસ ચમત્કારી કારણ છે. લગભગ 20 વર્ષ પહેલા આ મંદિર ચીની અને બંગાળી લોકોના દાનથી બનાવવામાં આવ્યું હતું. આ કારણે અહીં પાછલા 60 વર્ષોથી એક ઝાડની નીચે દેવીમાંની પૂજા કરવામાં આવે છે.
ચીનના યુવકને મળ્યું હતું નવુ જીવનદાન
સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા વર્ષો પહેલા ચીનનો એક યુવક ગંભીર રીતે બીમાર પડ્યો હતો. આ છોકરા પર કોઈ સારવાર કામ કરતી ન હતી. એક દિવસ બાળકના માતા-પિતા તેને ત્યાં લાવ્યા અને ઝાડ નીચે સુવડાવી દીધો. આ પછી તેણે દેવી માતાની પ્રાર્થના કરી અને ચમત્કારિક રીતે છોકરો સાજો થઈ ગયો. આ પછી આ મંદિરનું નિર્માણ થયું અને આ મંદિર હિંદુ સમુદાયની સાથે-સાથે ચીની સમુદાય માટે પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું.
ત્યાર બાદ ચઢવા લાગ્યો ચાઈનીઝ પ્રસાદ
જ્યારે ચીની લોકોએ મંદિરમાં આવવાનું શરૂ કર્યું તો તેમને દેવી માતાને ભોગ પણ પોતાની સંસ્કૃતિના અનુસાર લગાવવાનું શરૂ કર્યું. ત્યાર બાદથી અહીં માતાને ભોગમાં નુડલ્સ, ચોપ્સી વગેરે ચઢાવવામાં આવે છે.