પ્રાકૃતિક ઔષધિઓનો ભંડાર એટલે નોની ફળ. તેમાં 150થી પણ વધારે પોષક તત્વો હોય છે અને તે 100થી પણ વધારે બીમારીથી રક્ષણ આપે છે.
100થી પણ વધારે બીમારીઓને ક્યોર કરે છે આ 1 ફળ
150થી પણ વધારે પોષક તત્વોનો છે ભંડાર
જાણો નોની ફળ અને નોની જ્યુસના ફાયદા
જડીબુટ્ટીના લિસ્ટમાં જાણીતું એવું એક ફળ એટલે નોની ફળ. તેના પાન, ફળ અને જયુસનો પણ દવામાં ઉપયોગ કરાય છે. માનવામાં આવે છે કે આ ચમત્કારિક ફળમાં 100થી પણ વધારે રોગને સાજા કરવાની તાકાત છે આ સિવાય તેમાં 150થી પણ વધારે પોષક તત્વો છે. માનવામાં આવે છે કે તે કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. બજારમાં નોની જ્યૂસ મળી રહી છે. તો જાણો નોની ફળના ફાયદા.
ઇમ્યુન સિસ્ટમને સુધારે છે
કોરોનામાં ઈમ્યુન સિસ્ટમને સારી રાખવા માટે અનેક ઉપાયો અજમાવવામાં આવે છે. નોનીનો જ્યૂસ તમને મદદરૂપ થઈ શકે છે.તેના નિયમિત સેવનથી ઈમ્યુન સિસ્ટમ સારી રહે છે. એવામાં તમે બીમારી સામે લડી શકો છો.
ઝડપથી વજન ઘટાડે છે
નોનીના જ્યૂસમાં એન્ટી ઓબેસિટી ગુણ મળે છે. એવામાં તે આ લોકોને માટે ફાયદો કરે છે જે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છે છે. વજન ઘટાડવાથી અનેક રોગ નિયંત્રિત થઈ જાય છે.
બ્લડ શુગરને કરે છે કંટ્રોલ
નોની બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરે છે. એવામાં તેનો જ્યૂસ પીવાથી ડાયાબિટિસ નિયંત્રણમાં રહે છે. સામાન્ય લોકોને ડાયાબિટિસથી રક્ષણ મેળવવામાં પણ મદદ કરે છે.
કેન્સર સામે આપે છે રક્ષણ
શોધમાં સામે આવ્યું છે કે નોનીમાં બીટા ગ્લુકેન્સ અને સંયુગ્મિત લિનોલિક એસિડ હોય છે જેના કારણે તે પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને રોકવામાં સક્ષમ રહે છે. સાથે કેન્સરથી બચવામાં પણ મદદ કરે છે.
ઇન્ફર્ટિલિટીની સમસ્યાને કરે છે દૂર
આ નોની જ્યૂસથી પુરુષોમાં નપુસંકતા અને સ્ત્રીઓને વાંઝિયાપણું દૂર કરવામાં મદદ મળે છે. મહિલાઓને માસિકની મુશ્કેલીઓમાં પણ મદદ કરે છે.
જાણો કોણે ન કરવું જોઈએ આ ફ્રૂટ કે જ્યૂસનું સેવન
કિડનીની બીમારી ધરાવતા લોકોએ નોનીના જ્યૂસનું સેવન કરવું નહીં.
જો તમે હાઈ બીપીની દવા લઈ રહ્યા છો તો નોની જ્યૂસ કે ફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.
જરૂર કરતા વધારે સેવનથી શુગર લેવલ ઓછું થવાનો ખતરો રહે છે. માટે તેને યોગ્ય પ્રમાણમાં લેવાય તે જરૂરી છે.
કોઈ પણ સાઈડ ઈફેક્ટથી બચવા માટે જરૂરી છે કે તેને લેતા પહેલા આયુર્વેદ વિશેષજ્ઞની સલાહ લેવામાં આવે.