દેશમાં આ દિવસે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધતા કેસ ચિંતામાં વધારો કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક મામલા સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ સાવચેતી વધારી દીધી છે. આ દરમિયાન એવી જાણકારી સામે આવી છે કે મહારાષ્ટ્રમાં જે 21 લોકોમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ મળ્યો છે. તેમાંથી કોઈએ પણ રસી નહોંતી લીધી. આમાંથી 3 લોકો 18 વર્ષની ઉંમરના છે . તેવામાં આ કોરોનાની રસી લગાવવાને યોગ્ય નથી.
કોઈએ પણ રસી નહોંતી લીધી
મહારાષ્ટ્ર સરકારના જન સ્વાસ્થ્ય વિભાગના એપિડિમિયોલોજી સેલના પ્રમુખ ડો. પ્રદીપ અવાટેનું કહેવું છે કે અમે સતત સંક્રમિત દર્દીઓની શોધ આખા રાજ્યમાં કરી રહ્યા છીએ. પરંતુ પ્રારંભિક જાણકારી અનુસાર આમાંથી મોટાભાગનાએ રસી નથી લીધી.
5 જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવશે
ત્યારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યના 5 જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવશે. રાજ્ય નેશલન હેલ્થ મિશનના આયુક્ત એન રામાસ્વામીનું કહેવું છે કે જે વિસ્તારમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ સામે આવ્યા છે તે જગ્યાઓ પર નજર રાખી રહ્યા છીએ. અમે કોરોના ટેસ્ટિંગ વધાર્યું છે અને રસીકરણ પણ વધાર્યુ છે.
80 વર્ષની મહિલાનું મોત ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે થયું
રાજ્યમાં રત્નાગિરીના 9 કોવિડ સેમ્પલમાં પહેલી વાર ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યા હતા. ત્યારે જલગામમાં 7, મુંબઈમાં 2 અને થાણે, પાલઘર તથા સિંઘુદુર્ગમાં ડેલ્ટા પ્લાસના કેસ મળ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં 80 વર્ષની મહિલાનું મોત ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે થયું છે. આ રાજ્યમાં ડેલ્ટા પ્લસથી થયેલી પહેલી મોત છે. તેમને 1 જૂનથી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવાવામાં આવ્યા હતા. આ બાદ તેમની તબિયત ખરાબ થવા પર જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. જો કે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે એ વાતની જાણકારી ભેગી કરવામાં આવી રહી છે કે આ તમામ 21 લોકો કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી કેવી રીતે અસરગ્રસ્ત થયા છે. મનાઈ રહ્યું છે કે રત્નાગિરીમાં જે લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા છે. તે તમામ આંતરરાષ્ટ્રીય યાત્રા પર નહોંતા ગયા તે તમામ ખેડૂતો છે.