બિનસચિવાલય ક્લાર્કની લાયકાતને લઈને સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને સ્પર્ધાત્મક પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પણ સ્વીકાર્યો છે. સરકારનો આ નિર્ણય લોકોએ આવકાર્યો છે. જેનો અમલ ટુંક સમયમાં અમલવારી કરવા માંગ ઉઠી છે. જાણો એવો તો કયો નિર્ણય કર્યો છે?
ક્લાર્ક માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવાનો સરકારી નિર્ણય કર્યો
સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરનાર યુવાનોએ આ નિર્ણયને આવકાર્યો છે.
યુવાનોની માંગ છે કે સરકાર આ નિર્ણય પર ઝડપી અમલ થાય
ક્લાર્ક માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવાનો સરકારી નિર્ણય કર્યો
બિન સચિવાલયની ક્લાર્કની લાયકાતને લઈને સરકાર દ્વારા ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન હોવું ફરજીયાત કરાયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલાં યુવાનોએ સરકારનાં નિર્ણયને અવકાર્યો છે. યુવાનોએ VTV સાથે વાત કરતાં જણાવ્યુ કે, '12 પાસ બાદ ભરતી થયેલાં લોકોમાં મેચ્યોરિટી ઓછી જોવા મળે છે. તેમનામાં પ્રોપર કોમ્યુનિકેશન પણ હોતુ નથી.' VTV સમક્ષ યુવાનોએ નિર્ણયને થોડા સમય બાદ અમલવારી કરવાની માગ પર કરી છે.
યુવાનોની માંગ છે કે સરકાર આ નિર્ણય પર ઝડપી અમલ થાય
બિન સચિવાલયની પરિક્ષાઓ કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં તથા વિવાદમાં રહી છે. તેની વચ્ચે સરકારના આ નિર્ણયને સમગ્ર જનતાએ સ્વીકારી છે. વિદ્યાર્થીઓ આ નિર્ણયની અમલવારી ઝડપથી થઈ જાય તેવી આશા સેવીને બેઠાં છે.