બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા વધુ એકવાર વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયા પર બિનસચિવાલયના ઉમેદવારોએ રોષ ઠાલવ્યો છે. તેમાં પરીક્ષા રદ્દ કરવાની પરીક્ષાર્થીઓએ માંગ કરી છે. મહત્વનું છે કે, આ પરીક્ષા બાદ વોટ્સએપમાં કેટલાક સ્ક્રિનશોટ વાયરલ થયા હતા. તો કેટલીક જગ્યા પર પેપરના સીલ તૂટેલા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર બિનસચિવાલય ઉમેદવારોનો રોષ
પરીક્ષા રદ્દ કરવા પરીક્ષાર્થીઓની માંગ
#Cancelbinsachivalayexam ટ્વિટર પર ટ્રેન્ડમાં
17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઇ હતી. રાજ્યભરમાં 10 લાખ 45 હજાર 442 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ત્યારે આ પરીક્ષાના કેટલાક વિવાદ સામે આવતા પરીક્ષાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને #Cancelbinsachivalayexam ટ્વિટર અને ફેસબુક પર આ મામલો ટ્રેન્ડ થયો છે.
ગાંધીનગરમાં અપાશે આવેદનપત્ર
ગુરૂવારે ગાંધીનગરમાં આ અંગે આવેદનપત્ર આપવામાં આવશે. ટ્વિટર પર પરીક્ષાર્થીઓ રોષ ઠાલવી રહ્યાં છે. જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. તેમજ પરીક્ષામાં ગેરરીતિ હોવાના પણ આક્ષેપ થયા હતાં.
પેપરના સીલ તૂટેલા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
સુરેન્દ્રનગરમાં બિનસચિવાલયની પરીક્ષામાં હોબાળો થયો હતો. એમ.પી.શાહ કોમર્સ કોલેજના પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. પરીક્ષાના પેપરના સીલ તૂટેલા હોવાનો પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. ગેરરીતિ આચરવાના હેતુથી સીલ તૂટેલા હોવાનો પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. પરીક્ષાર્થીઓએ ઉગ્ર હોબાળો કરતા સ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પેપર લીક થવાની પ્રાથમિક માહિતી સામે આવી : મનીષ દોશી
અમદાવાદમાં બિન સચિવાલયની પરીક્ષાને લઈને કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ નિવેદન આપતા ભાજપ પર પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે પરીક્ષાના કેન્દ્ર બદલાતા ઉમેદવારોને ભારે હાલાકી પડી હતી. દરેક પરીક્ષાની જવાબદારીની સરકારની હોય છે. પરંતુ આ પરીક્ષાની જવાબદારી નિભાવવમાં સરકાર નિષ્ફળ રહી છે. ભાવનગરના પેપર લીક થવાની પ્રાથમિક માહિતી સામે આવી. જેમાં કાળીયાબીડ વિસ્તારમાં પેપર લીક થવાની પ્રાથમિક માહિતી સામે આવી.
પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નને લઇને વિવાદ
બિન સચિવાલયની પરીક્ષામાં પુછાયેલ એક પ્રશ્નને લઇને વિવાદ થયો હતો. આ અંગે ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યા હતા. તેમાં તેમણે જણાવ્યુ હતું કે જ્ઞાતિનું અપમાન થાય તેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેપર કાઢનાર વ્યક્તિ સામે એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય જાણકારી ન હોય તેવા વ્યક્તિ કઇ રીતે પેપર બહાર પાડી શકે છે. સખત કાર્યવાહી કરવામાં આવે જેથી આગામી દિવસોમાં આવી હરકત કોઇ કરે નહીં.