ગાંધીનગરઃ બિન અનામત વર્ગોને SC-STના ધોરણે લાભ મળશે. આ મામલે આવતીકાલે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી શકે છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાશે. બિન અનામત આર્થિક આયોગને 600 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે.
તો ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાય માટે પણ સહાય આપવામાં આવશે. આ સહાય 6 લાખ સુધીની આવક ધરાવતા બિન અનામત વર્ગને જ લાભ મળશે. તો બિન અનામત વર્ગને 25થી વધુ યોજનાનો લાભ મળશે.
ત્યારે મંજૂરી પહેલાં સહાયના ધોરણો નિયમો નક્કી કરવા બાબત આવતીકાલે(બુધવારે) મળનારી કેબિનેટમાં મોટાભાગે મંજૂરી આપી દેવામાં આવશે. તે સાથે જ બિન અનામત વર્ગના અને રૂ.૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને ૨૫થી વધુ યોજનાઓનો લાભ મળશે. ત્યારબાદ બિન અનામત વર્ગોને પણ SC-ST સમાજને મળે છે એટલો જ લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકાર દ્વારા બિન અનામત આયોગ અને બિન અનામત આર્થિક નિગમની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ મળશે. જેમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યા બાદ આયોગને મંજૂરી આપી દેવામાં આવશે.