સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મકાનનું ભાડૂ ન આપવું તે ભારતીય દંડ સંહિતા અંતર્ગત દંડનિય અપરાધ નથી. જેથી મકાન માલિકને ઝટકો લાગ્યો છે, જો કે તેના માટે આ વિકલ્પ ખુલ્લો રહેશે.
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
ભાડૂઆત ભાડૂ ન ચુકવે તો ગુનો ન નોંધાય
જો કે, આ વિકલ્પ ખુલ્લો રહેશે
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મકાનનું ભાડૂ ન આપવું તે ભારતીય દંડ સંહિતા અંતર્ગત દંડનિય અપરાધ નથી. આ કાયદાકીય વ્યવસ્થા સાથે કોર્ટે એક મકાન માલિક દ્વારા ભાડૂઆત વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદ કરી દીધી હતી. મકાન માલિકે ભાડૂઆત વિરુદ્ધ છેતરપીંડી અને હેરાફેરીનો મામલો પોલીસમાં નોંધાવ્યો હતો, કારણ કે, તેને ભાડૂ આપ્યું નહોતું.
ભાડૂ ન આપવું તે બદલ ગુનો નથી બનતો
ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીની બેન્ચે કહ્યું કે, ભાડાની ચુકવણી કરવામાં નિષ્ફળના પરિણામે દીવાની પ્રકૃતિના હોઈ શકે છે. પણ ગુનો નહીં. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલનો સ્વિકાર કરતા વડી અદાલતે આ નિર્ણય સંભળાવ્યો હતો. હાઈકોર્ટે ભાડૂઆત વિરુદ્ધ મકાન માલિક તરફથી દાખલ કરવામાં આવેલી FIR ને રદ કરવાની ના પાડી દીધી હતી. પીઠે કહ્યું કે, મકાન માલિક પાસે દિવાની પ્રક્રિયાથી પોતાનું ભાડૂ વસૂલવાનો વિકલ્પ ખુલ્લો છે.
FIRને રદ કરતા કોર્ટે કહ્યું કે, જ્યારે અપીલકર્તા ભાડૂઆતની સંપત્તિને ખાલી કરી દે અને ભાડૂ બાકી હોય છે, તો આ સવાલને દિવાની કાર્યવાહીમાં જોડવા માટે ખુલલો છોડી દેવામાં આવે છે.