જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓએ ગેર કાશ્મીરીઓને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. હવે આતંકીઓએ શ્રીનગર અને પુલવામામાં યુપીના બે મજૂરોની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
શ્રીનગરમાં આતંકીઓ બેફામ
1 મહિનામાં ત્રીજા પાણીપુરી વેચનાર વ્યક્તિની કરી હત્યા
ઈદગાહ વિસ્તારમાં આતંકીઓ ત્રાટક્યા
જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓએ યુપી-બિહારના લોકોને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓ કાશ્મીરમાં ગેર કાશ્મીરઓની આડેધડ હત્યાઓ કરી રહ્યાં છે. હવે આતંકીઓએ યુપીના બે લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
શ્રીનગરમાં એક અને પુલવામામાં બીજી એમ બે હત્યા કરી આતંકીઓએ
જમ્મુ રેન્જના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે અરવિંદ કુમાર નામનો શખ્સ ઈદગાહ પાસે પાણીપુરી વેચી રહ્યો હતો ત્યારે આતંકીઓ ત્યાં ત્રાટક્યા હતા અને તેની પર અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થયા હતા. આતંકીઓના ગોળીબારમાં પાણીપુરી વાળા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પુલવામાના યુપી વિસ્તારમાં સાગીર અહમદના નામના શખ્સને પણ ગોળી મારી
આતંકીઓએ પુલવામાના યુપી વિસ્તારમાં સાગીર અહમદના નામના શખ્સને પણ ગોળી મારી હતી ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Terrorists fired upon 2 non-local labourers in Srinagar & Pulwama. Arvind Kumar Sah of Banka, Bihar succumbed to injuries in Srinagar and Sagir Ahmad of UP critically injured in Pulwama. Areas have been cordoned & searches started: Kashmir Zone Police pic.twitter.com/q4NKriIW7e
શ્રીનગરમાં બિન-મુસ્લિમો અને બહારના લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિને ગોળી મારવામાં આવી હતી તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી નહોતો. આતંકવાદીઓએ ફરી એકવાર ઓળખકાર્ડ પર ગોળીબાર કર્યો છે. તેના માથામાં ગોળી વાગી છે. પોલીસે જણાવ્યું હતું કે ખરાબ રીતે ઘાયલ વ્યક્તિને શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હુમલાખોરની શોધ ચાલુ છે. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ અરવિંદ કુમાર શાહ તરીકે થઈ છે. તે 30 વર્ષનો હતો.
એક અગ્રણી કાશ્મીરી પંડિત અને શ્રીનગરની સૌથી પ્રખ્યાત ફાર્મસીના માલિક મખન લાલ બિંદુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક 'ચાટ' વિક્રેતા, બિહારના વિરેન્દ્ર પાસવાન અને અન્ય એક નાગરિક મોહમ્મદ શફી લોનને પણ આતંકવાદીઓએ મારી નાખ્યા હતા.
J&K: An incident of firing reported at Eidgah area of Old Srinagar city. Details awaited.
સત્તાવાર આંકડા મુજબ 2021માં અત્યાર સુધીમાં આતંકવાદીઓએ કુલ 29 નાગરિકોની હત્યા કરી છે. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં અનેક આતંકવાદી સંગઠનોના નેતાઓને મળ્યા છે અને તેમને જમ્મુ-કાશ્મીરમાં વધુ હુમલા કરવા જણાવ્યું છે, જેમાં તેમને કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમોને નિશાન બનાવવા જણાવ્યું છે. તે મુજબ એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. તે મુજબ આઇએસઆઇએ આતંકવાદીઓને ટાર્ગેટ કિલિંગ વધારવા જણાવ્યું છે.
Strongly condemn the killing of street vendor Arvind Kumar in a terror attack in Srinagar today. This is yet another case of a civilian being targeted like this. All Arvind Kumar did was come to Srinagar in search of earning opportunities & it’s reprehensible that he was murdered
ઓમર અબ્દુલ્લા અને ભાજપના પ્રવક્તાએ નિંદા કરી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં એક સામાન્ય મજૂરની ગોળી મારીને નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ રીતે નિશાન બનાવવાનો બીજો કેસ. અરવિંદ કુમાર રોજગારીની શોધમાં શ્રીનગર આવ્યા હતા અને અહીં તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે, બે બિન-સ્થાનિક ગરીબ વિક્રેતાઓની હત્યા અત્યંત નિંદનીય અને આઘાતજનક ઘટના છે. ઠાકુરે પોલીસને હત્યારાઓને પકડવા અને તેમને કડક સજા કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે સખત મહેનતથી આજીવિકા મેળવનારા ગરીબ વિક્રેતાઓ અને સુથારોની હત્યા અમાનવીય અને બર્બર છે.