ગાંધીનગરઃ શિક્ષણ બોર્ડ મળેલી કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જુન 2019થી ઓછી સંખ્યાવાળી નોન ગ્રાન્ટેડ સ્કુલોને બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ક્લાસમાં 24 કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને નવો નિયમ લાગુ પડશે. તેથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને તાકીદ કરાઇ છે.
મહત્વનું છે કે રાજ્યમાં જો એક ક્લાસમાં 24 કરતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હશે તેવી નોન ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેનો નિયમ જુન 2019થી લાગુ પડશે. ત્યારે ઓછી સંખ્યાઓ ધરાવતી નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ચર્ચા વ્યાપી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક નોન ગ્રાન્ટેડ શાળાઓ એવી જ્યાં ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી હોય છે. પરંતુ બીજી બાજુ આ પ્રકારે નોન ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરાતા વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરી શકવો પડે છે.