મોરબીના ટંકારામાં પાટીદાર અનામત આંદોલન સમયે વર્ષ 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં પાસના અગ્રણીઓ ટંકારા કોર્ટમાં હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ અને લલિત વસોયા સામે જામીન પાત્ર વોરંટ ઈશ્યૂ થયેલુ હોવા છતાં ગેરહાજર રહ્યાં હતા. કુલ 35 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કોર્ટે હવે હાર્દિક પટેલ અને લલિત વસોયા વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે.
હાર્દિક પટેલ અને લલિત વસોયા સામે બિનજામીનપાત્ર વોરંટ
ચૂંટણી દરમિયાન 188 હેઠળ ગુનો નોંધેલ છેઃ વસોયા
ખોટી રીતે મારી પર ફરિયાદ કરવામા આવી હતીઃ વસોયા
હાર્દિક પટેલ અને લલિત વસોયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરાયું છે. ટંકારા કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે. ટંકારામાં વગર મંજૂરીએ જાહેરસભા યોજવાનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ અને લલિત વસોયા કોર્ટમાં હાજર ન રહેતા ટંકારા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે.
દિલ્હી ચૂંટણી પ્રચારમાં હોવાથી કોર્ટમાં હાજર ન રહી શક્યોઃ વસોયા
પાટીદાર અનામત આંદોલન રેલી દરમિયાન જાહેરનામા ભંગની કલમ-188 મુજબ પોલીસે વસોયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. વસોયાએ કહ્યું કે, તેમની સામે ખોટી રીતે 188 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે સમયે હું હાજર ન હોવાં છતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. હું ન્યાયિક પ્રક્રિયાનુ સન્માન કરું છું અને સામેથી હાજર થઈશ. વસોયા દિલ્હી ચૂંટણી પ્રચારમાં હોવાથી કોર્ટમાં હાજર ન રહી શક્યા હોવાનું નિવેદન આપ્યું છે.