મુંબઇ: નાપાક પાકિસ્તાનની પોલ ખુલી ચૂકી છે. 26/11ના મુંબઈ હુમલા મામલે મુંબઈ સેશન્સ કોર્ટે પાકિસ્તાન સેનાના બે અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે લશ્કરે તોયબાના અમેરિકિ આતંકી ડેવિડ કોલમેનની જુબાનીના આધારે ચુકાદો આપ્યો છે.
હેડલીએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના મેજર અબ્દુલ રહેમાન પાશા અને મેજર ઇકબાલે મુંબઈ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. તો મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે પણ પોતાની ચાર્જશીટમાં આ બન્ને પાકિસ્તાની મેજરોને અપરાધી ગણાવ્યા છે. આ મામલે સરકારી વકીલે જણાવ્યું હતું કે મેજર પાશા રિટાયર્ડ થઈ ચુક્યો છે જ્યાર મેજર ઇકબાલ હાલ પાકિસ્તાની જાસુસ સંસ્થા આઈએસઆઈમાં ફરજ બજાવે છે.
નવાઝ શરીફે પાક.નો હાથ હોવાની કરી હતી વાત
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વર્તમાનમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા નવાઝ શરીફે સ્વીકાર્યું છે કે મુંબઈ હુમલામાં પાકિસ્તાની ત્રાસવાદીઓનો હાથ છે.
નવાઝ શરીફની આ સ્વીકૃતિએ પાકિસ્તાનના દાવાને પણ સમાપ્ત કર્યો છે કે તેમણે આતંકવાદીઓ વધારવાના આરોપોનો સામનો કરવામાં આવ્યો છે. નવાઝે એક મુલાકાતમાં સ્વીકાર્યું છે કે તેમના દેશમાં આતંકવાદી સંગઠન સક્રિય છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે પાકિસ્તાનની જ પોલ ખોલી નાખી છે. નવાઝ શરીફે પાકિસ્તાનના એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં કબૂલાત કરી છે કે પાકિસ્તાનના જ આતંકીઓએ મુંબઇ પર વર્ષ 2008માં હુમલો કર્યો હતો. જેમાં 150 કરતા પણ વધુ માસુમ લોકોના મોત નિપજ્યા હતા. નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનના આતંકીઓ સીમા ઓળંગીને મુંબઇ ગયા હતા..
નવાઝ શરીફે ઇન્ટરવ્યુ દરમિયાન આતંકીઓ વિરુદ્ધ પાકિસ્તાનમાં ચાલતા કેસ સામે પણ સવાલો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે શા માટે પાકિસ્તાનની અદાલતે મુંબઇ હુમલાના આતંકીઓ સામેની સુનાવણી પૂર્ણ કરી નથી. ઉલ્લેખનીય છે કે જ્યારે ભૂતકાળમાં ભારતે આતંકી કસાબના કબુલાત નામા બાદ પાકિસ્તાન પર આક્ષેપ કર્યા હતા ત્યારે પાકિસ્તાન સરકારે જ ભારતના આરોપો ખોટા હોવાનો દાવો કર્યો હતો.
ક્યારે થયો હતો મુંબઇ પર આતંકી હુમલો?
26 નવેમ્બર 2008ના લશ્કર-ઇ-તૌયબાના 10 આંતકવાદી મુંબઇની તાજ હોટલમાં ધૂસી ગયા અને 4 દિવસો સુધી ત્યાં રહ્યા અને શહેરના 7 શહેરોમાં ફાયરિંગ કર્યુ હતુ..આ હુમલામાં લગભગ 166 લોકો માર્યા ગયા હતા જ્યારે 300 લોકો ઘાયલ થયા હતા.