દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ટુલ કિટ કેસમાં વધુ એક આરોપી વકીલ નિકિતા જૈકબની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યુ છે. આ મામલામાં તે ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તેમનો હેતું ખેડૂતોની વચ્ચે અસંતોષ અને ખોટી જાણકારી ફેલાવવાનો હતો
દિશા ગ્રેટા થનબર્ગને જાણતી હતી
...એ બાદ નિકિતા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે
આ મામલામાં તે ફરાર હોવાનું મનાઈ રહ્યું છે
ખેડૂત આંદોલનને લઈને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ તરફથી ટ્વિટ શેર કરવામાં આવેલા ટૂલ કિટ કેસના મામલામાં દિલ્હી પોલીસે આને તૈયાર કરનારા આરોપીઓ પર તંગ કસ્યો છે. દિલ્હી પોલીસ તરફથી પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ કેસમાં વધું એક આરોપી નિકિતા જૈકબની વિરુદ્ધ કોર્ટમાંથી બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કરાવ્યુ છે. નિકિતા જૈકબ વ્યવસાયે વકીલ છે અને આ મામલામાં તે ફરાર હોવાનું મનાઈ રહ્યું છે.
એ બાદ નિકિતા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યાનુંસાર 11 ફેબ્રુઆરીએ નિકિતા જૈકબના ઘરે સ્પેશિયલ સેલની ટીમ સર્ચ કરવા ગઈ હતી. આ ટીમ તેના મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ કરવા ગઈ હતી. એ દિવસે સાંજનો સમય હોવાના કારણે તેની સાથે પુછપરછ નહોંતી થઈ શકી. નિકિતા પાસે સ્પેશિયલ સેલને દસ્તાવેજો પર સહી કરાવી હતી કે તે તપાસમાં સામેલ થશે. એ બાદ નિકિતા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે.
નિકિતાએ કેનેડાના પુનિત નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો
દિલ્હી પોલીસના અનુસાર નિકિતા જૈકબ ખાલિસ્તાન વિચારધારાથી પ્રભાવિત છે. નિકિતાએ કેનેડાના પુનિત નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. 26 જાન્યુઆરીના 4 દિવસ પહેલા નિકિતા અને અન્ય ઝૂમ એપ પર મીટિંગ પણ થઈ હતી. ખાલિસ્તાન સંગઠન સાથે જોડાયેલા સંગઠન પોઈન્ટ ફોર જસ્ટિસના એમઓ ધાલીવાલે પોતાના કેનેડામાં રહી રહેલા સહયોગી પુનીતના માધ્યમથી નિકિતા જૈકબ સાથે સંપર્ક કર્યો હતો. તેનો હેતું હતો કે રિપબ્લિક ડેના પહેલા ટ્વિટર પર હલચલ ઉત્પન્ન કરવામાં આવે.
તેમનો હેતું ખેડૂતોની વચ્ચે અસંતોષ અને ખોટી જાણકારી ફેલાવવાનો હતો
મનાઈ રહ્યું છે કે નિકિતા જૈકબ પહેલા પણ પર્યાવરણ સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવતી રહી છે. રિપબ્લિક ડે પહેલા થયેલી ઝૂમ મીટિંગમાં એમઓ ધાલીવાલ, નિકિતા અને દિશા ઉપરાંત અન્ય લોકો સામેલ થયા હતા. એમઓ ધાલીવાલે તે દરમિયાન કહ્યું હતુ કે મુદ્દો મોટા બનાવવાનો છે. તેમનો હેતું ખેડૂતોની વચ્ચે અસંતોષ અને ખોટી જાણકારી ફેલાવવાનો હતો. ત્યાં સુધી કે એક ખેડૂતનું મોત પોલીસની ગોળી થયુ હોવાનું જણાવવામાં આવ્યું હતુ.
દિશા ગ્રેટા થનબર્ગને જાણતી હતી
26 જાન્યુઆરીની હિંસા બાદ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી અને એક્ટિવિસ્ટના સંપર્ક કર્યો હતો. જો કે દિશા ગ્રેટા થનબર્ગને જાણતી હતી. એટલા માટે તેની મદદ લીધી. નિકિતાના ઘરે પણ સ્પેશિયલ સેલની ટીમ ગઈ હતી. તેમના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરવામાં આવી છે. તે સમયે સાંજ થઈ ગઈ હોવાથી તેની સાથે પુછપરછ નહોંતી થઈ શકી. પોલીસે કહ્યું હતું કે કાલે તે ફરી આવશે. જો કે પોલીસ બીજા દિવસે પહોંચી તો નિકિતા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે.