રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો કેટલાક દર્દીઓના કોરોનાથી મોત પણ થઇ રહ્યા છે. કોરોનાથી દર્દીઓના થતાં મૃત્યુને લઈ ચોંકાવનારી વાત આવી સામે છે. કોરોનાથી દર્દીના મૃત્યુને લઇને ડૉક્ટરે ચોંકાવનારો દાવો કર્યો છે. કોરોનાના દર્દીઓના અચાનક થતા મૃત્યુને લઈ દાવો કર્યો છે.
ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારીએ કર્યો દાવો
સામાન્ય લક્ષણ, લક્ષણ વગરના દર્દીઓનું અચાનક મૃત્યુ થાય છે
સાયલન્ટ હાઈપ્રોક્સીયાના કારણે દર્દીઓના મૃત્યુ થાય છે
વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ.શીતલ મિસ્ત્રીએ દર્દીઓના મૃત્યુને લઈ દાવો કર્યો છે. સામાન્ય લક્ષણ, લક્ષણ વગરના દર્દીઓનું અચાનક મૃત્યુ થતુ હોવાનો દાવો કરાયો છે. સાયલન્ટ હાઈપ્રોક્સિયાના કારણે દર્દીઓના મૃત્યુ થાય છે. પલ્સ ઑક્સિમીટરથી ઓક્સિજન લેવલ ચેક કરી શકાય છે. સતત ઓક્સિજન માપવાથી દર્દીઓના જીવ બચાવી શકાય છે. સાયલન્ટ હાઈપ્રોક્સિયામાં દર્દીમાં ઓક્સિજન ઘટે તો જાણ થતી નથી.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2,557 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 39 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.
હાલ વડોદરામાં કોરોનાની શું છે સ્થિતિ?
ગઇકાલે વડોદરામાં 115 કેસ નોંધાયા હતા. જેમાં વડોદરા કોર્પોરેશનમાં 98 અને વડોદરા જિલ્લામાં 17 કેસ નોંધાયા હતા. આ સાથે વડોદરામાં કોરોનાનો કુલ આંકડો 5161 પર પહોંચ્યો છે. વડોદરામાં ગઇકાલે 80 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 4026 પર પહોંચ્યો છે. વડોદરામાં ગઇકાલે 2 દર્દીઓના મોત થયા હતા, જેની સાથે વડોદરાનો કોરોનાથી મૃત્યુઆંક 90 પર પહોંચ્યો છે. હાલ વડોદરામાં 1045 એક્ટિવ કેસ છે.