ભારતીય મૂળના નોબેલ પુરસ્કાર વિજેતા લેખક અને જાણીતા નવલકથાકાર સર વી.એસ નાયપોલનું આજરોજ દેહવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ લેખક 85 વર્ષની ઉંમર ધરાવતા હતા. તેમના નિધન અંગને સમાચાર તેમના પરિવારજનોએ જાહેર માધ્યમોને આપ્યા હતા.
નાયપોલના નિધન બાદ બાદ તેમના પત્નીએ કહ્યું કે તેમણે રચનાત્મકતા અને ઉદ્યમતા ભરેલી જીંદગી જીવી હતી. તેઓ પોતાના છેલ્લા સમય સુધી તેઓ તમામને પ્રેમ કરતા રહ્યા.
Famed British novelist and Nobel Prize winner for Literature Sir. V.S. Naipaul has breathed his last on Sunday. The author of "A House for Mr Biswas passed away at his home in London. He was 85.
આપને જણાવી દઇએ કે નાયપોલનો જન્મ 17 ઓગસ્ટ 1932ના રોજ ત્રિનિદાદમાં થયો હતો. તેમણે ઓક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. તેમની પહેલી નવલકથા 'દ મિસ્ટર મૈસર' 1951માં પ્રકાશિત થઇ હતી.
વર્ષ 1950માં તેમને એક સરકારી સ્કોલરશિપ જીતી હતી. 'એ બૅન્ડ ઇન ધ રિવર' અને 'એ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ' તેમની અતિ પ્રચલિત કૃતિ હતી. નાયપોલે 1971માં બુકર અને વર્ષ 2001માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયપોલે 30 થી વધુ પુસ્તકની રચના કરી હતી.
વિદ્યાર્થી કાળમાં તેઓ અવસાદથી ઘેરાયેલ અને આપઘાતના પ્રયત્ન પણ કરી ચૂકેલા છે. તેમની એક નવલકથા માટે તેમણે 3 વર્ષ વિતાવ્યા હતા.