લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભારે બહુમતીથી જીત મેળવીને ફરી એક વાર સત્તામાં વાપસી કરી છે. પીએમ મોદીએ ફરી એકવાર પાંચ વર્ષ માટે દેશની બાગડોર પોતાના સંભાળવા જઇ રહ્યા છે. જોકે પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને નોબેલ એવોર્ડ વિજેતા અમર્ત્ય સેન ભાજપ સરકારના ગત કાર્યકાળથી વધારે ખુશ નજરે પડી રહ્યા નથી.
'ધ ટેલીગ્રાફ' માં લખેલા પોતાના એક લેખમાં નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને લખ્યું છે કે, પીએમ મોદીને આ જીત તેમની ઉપલબ્ધિઓને કારણે નહીં પરંતુ ડરને કારણે મળી છે. જોકે અમર્ત્ય સેને પીએમ મોદીના વ્યક્તિત્વની પ્રશંસા કરી છે. એમણે કહ્યું છે કે તેમાં કોઇ શંકા નથી કે નરેન્દ્ર મોદી એક કરિશ્માઇ નેતા છે. તે એક પ્રભાવી વક્તા છે અને બીજાને પોતાની વાતોથી પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
અમર્ત્ય સેન માને છે કે પુલવામા હુમલા અને એર સ્ટ્રાઇક બાદ બનેલા રાષ્ટ્રવાદના માહોલથી પીએમ મોદી અને ભાજપને ફાયદો મળે છે. એમનું કહેવું છે કે ભારતીય ચૂંટણીમાં એક ડરનો માહોલ બનાવવામાં આવ્યો. જેનો મોદી દ્વારા સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો.
પોતાની વાતના સમર્થનમાં અમર્ત્ય સેનનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને જીત તેમના દ્વારા કરવામાં આવેલા વચનોને કારણે મળી, જેમા તેમણે રોજગાર વધારવા, ભ્રષ્ટાચાર મિટાવવું જેવી વાત કહી છે. જોકે ચૂંટણીમાં પીએમ મોદીએ પોતાની ઉપલબ્ધિઓ વિશે કોઇ વાત નથી કરી.
એમણે કહ્યું કે વડાપ્રધાને રોજગાર, આર્થિક વૃદ્ધિ, સ્વાસ્થ્ય સેવાઓ વિશે કોઇ વાત ન કહી તથા ભ્રષ્ટાચાર વિશે પણ કોઇ વાત ન કરી. એની જગ્યાએ પીએમ મોદીએ ભારતીય નાગરિકો સામે ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. ક્યારેક આતંકવાદનો ડર, ક્યારેક પાકિસ્તાનનો ડર અને ક્યારેક ભારતમાં હાજર તત્વોનો ડર બતાવ્યો.
અમર્ત્ય સેન અનુસાર, તેનો ભાજપ અને પીએમ મોદીને ફાયદો મળ્યો. મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળ સામે પ્રશ્નો કરનાર અમર્ત્ય સેને કહ્યું કે મોદી સરકાર પોતાના વચન પૂર્ણ નથી કર્યા અને ગત પાંચ વર્ષમાં ભારત ધાર્મિક રીતે વહેંચાઇ ગયું છે.