નોબલ ફાઉન્ડેશને વર્ષ 2019 માટે કેમેસ્ટ્રીના નોબલ પૂરસ્કાર (Nobel Prize 2019) વિજેતાઓ જાહેર કર્યા છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં અમેરિકાના જોન બી. ગુડઇનફ (John B Goodenough), ઇંગ્લેન્ડના એમ. સ્ટેનલી વિટિંઘમ (Stanley Whittingham) તથા જાપાનના અકીરા યોશિનો (Akira Yoshino) ને સંયુક્ત રૂપે રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી)નું વર્ષ 2019નો નોબલ પૂરસ્કાર અપાયો છે. તેમને લિથિયમ-આયન બેટરીના વિકાસ કરવાને લઇને અપાયો છે.
નોબલ પ્રાઇઝ 2019ના કેમેસ્ટ્રીના વિજેતાઓના નામ જાહેર કરાયા
અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાનના વૈજ્ઞાનિકોને મળ્યું વર્ષ 2019ના કેમેસ્ટ્રીનું નોબલ પ્રાઇઝ
આ પહેલા ભૌતિક વિજ્ઞાન, મેડિસિન ક્ષેત્રના પૂરસ્કાર વિજેતાઓ જાહેર કરાયા
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં કેમેસ્ટ્રીમાં વર્ષ 2019ના નોબલ પૂરસ્કાર માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાનના વૈજ્ઞાનિકોના નામ જાહેર કરાયા છે.
The 2019 #NobelPrize in Chemistry has been awarded to John B. Goodenough, M. Stanley Whittingham and Akira Yoshino “for the development of lithium-ion batteries.” pic.twitter.com/LUKTeFhUbg
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં કેમેસ્ટ્રીમાં વર્ષ 2019ના નોબલ પૂરસ્કાર માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાનના વૈજ્ઞાનિકોના નામ જાહેર કરાયા છે.
આ પહેલા મંગળવારે ભૌતિક વિજ્ઞાન (Physics)નું નોબલ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકો જેમ્સ, પીબલ્સ, મિશેલ મેયર અને ડિડિઅર કેલોઝનું અપાયો. જેમ્સ પીબલ્સને '' ભૌતિક બ્રહ્માંડ વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક શોધ માટે'', મિશેલ મેયર અને ડિડિઅર કેલોઝને ''એક સૌર પ્રકારના તારાની પરિક્રમા કરનાર એક્સોપ્લેનેટની શોધ માટે'' સંયુક્ત રૂપે નોબલ પ્રાઇઝ મળ્યું છે.
આ પહેલા સોમવારે અમેરિકાના વિલિયમ કેલિન અને બ્રિટેનના ગ્રેગ સેમેન્જા અને પીટર રેટક્લિફને મેડિસિન ક્ષેત્રમાં નોબલ પ્રાઇઝની જાહેરાત કરાઇ હતી. નોબલ પૂરસ્કાર દર વર્ષે એ લોકોને અથવા સંસ્થાઓને આપવામાં આવે છે જે અભૂતપૂર્વ કાર્ય કરતા હોય છે.
નોબલ પૂરસ્કાર શાંતિ, સાહિત્ય, ભૌતિક, કેમિસ્ટ્રી, મેડિસિન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આપવામાં આવે છે. જ્યારે નોબલની શરૂઆત થઇ હતી ત્યારે પહેલીવાર 1901માં આ પૂરસ્કાર ભૌતિક, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 1969માં તેમા અર્થશાસ્ત્રને પણ જોડવામાં આવ્યું હતું.