અર્થશાસ્ત્રમાં નોબલ પૂરસ્કારનું એલાન કરી દેવાયું છે. ભારતીય મૂળના અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રના નોબલ પૂરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. અભિજીત બેનર્જી ઉપરાંત એસ્થર ડૂફલો અને માઇકલ ક્રેમરને પણ આ પૂરસ્કારથી સન્માનિત કરાયા છે. અભિજીત બેનર્જી મેસાચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર છે. તેમણે અબ્દુલ લતીફ જમીલ પૉવર્ટી એક્શન લેબના સહ-સંસ્થાપક પણ છે.
ભારતીય મૂળના અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રના નોબલ પૂરસ્કારથી સમ્માનિત કરાયા
વૈશ્વિક ગરીબી દૂર કરવાની દિશામાં પ્રયાસો માટે અર્થશાસ્ત્રનો નોબલ પૂરસ્કાર અપાયો
અભિજીત બેનર્જીએ દુનિયાને રાહ દેખાડવા માટે ઇકોનોમિક્સ પર 7 પુસ્તકો લખ્યા છે
અભિજીત બેનર્જી મેસાચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર છે. તેમણે અબ્દુલ લતીફ જમીલ પૉવર્ટી એક્શન લેબના સહ-સંસ્થાપક પણ છે.અભિજીત બેનર્જી, તેમની પત્ની એસ્થર ડુફલો, અને માઇકલ ક્રેમરને વૈશ્વિક ગરીબી દૂર કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો માટે આ પૂરસ્કારથી સન્માનિત કરાયા છે. આ પહેલા 1998માં અમર્ત્ય સેનને ઇકોનોમિક્સનો નોબલ પ્રાઇઝ મળ્યો હતો.
BREAKING NEWS:
The 2019 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded to Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer “for their experimental approach to alleviating global poverty.”#NobelPrizepic.twitter.com/SuJfPoRe2N
નોંધનીય છે કે, એસ્થર ડુફલો અભિજીત બેનર્જીના પત્ની છે. અભિજીત બેનર્જીનો જન્મ કોલકાતામાં 21 ફેબ્રુઆરી 1961માં થયો હતો. તેમણે જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીથી અભ્યાસ કર્યો હતો. તેમની માતાનું નામ નિર્મલા બેનર્જી અને પિતાનું નામ દીપક બેનર્જી છે. માતા નિર્મલા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાઇન્સિઝમાં અર્થશાસ્ત્રની પ્રોફેસર રહી ચૂકી છે. જ્યારે પિતા દીપક કોલકાતાના પ્રેસિડેન્ટ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ હતા.
અભિજીત બેનર્જીએ શાળાકીય અભ્યાસ કોલકાતાના સાઉથ પોઇન્ટ સ્કૂલમાં કર્યો હતો. ત્યારબાદ ગ્રેજ્યૂએશન કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજમાં કર્યું. ત્યારબાદ 1983માં અર્થશાસ્ત્રમાં એમએ જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)થી કર્યું. બાદમાં 1998માં હાર્વડ યૂનિવર્સિટીથી પીએચડી કરી હતી.
નોબલ પૂરસ્કારના એલાન બાદ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અભિજીત બેનર્જીને અભિનંદન પાઠવ્યા છે. એમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, 'અર્થશાસ્ત્રનો નોબલ પૂરસ્કાર જીતવા માટે સાઉથ પોઇન્ટ સ્કૂલ એન્ડ પ્રેસિડેન્સી કોલેજ કોલકાતાના પૂર્વ વિદ્યાર્થી અભિજીત બેનર્જીને હાર્દિક અભિનંદન. વધુ એક બંગાળીએ દેશને ગૌરવાન્વિત કર્યું છે. અમે ખુબ જ ખુશ છીએ.'
અભિજીત બેનર્જીએ દુનિયાને રાહ દેખાડવા માટે ઇકોનોમિક્સ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમનું પુસ્તક 2005માં વોલાટિલિટી એન્ડ ગ્રોથ હતું. ત્યારથી લઇને આજ સુધી અભિજીત બેનર્જીએ કુલ સાત પુસ્તકો લખ્યા છે. પરંતુ તેમને પ્રસિદ્ધી મળી 2011માં આવેલી તેમના પુસ્તક ઇકોનોમિક્સ: અ રેડિકલ રીથીકિંગ ઓફ ધ વે ટૂ ફાઇટ ગ્લોબલ પૉવર્ટી.