રસાયણવિજ્ઞાનના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ક્લિક કેમેસ્ટ્રી અને બાયોઓર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
વર્ષ 2022 ના નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી
રસાયણવિજ્ઞાનના નોબેલ પુરસ્કારની જાહેરાત આજે કરી
ક્લિક કેમેસ્ટ્રી અને બાયોઓર્થોગોનલ માટે મળ્યું પુરસ્કાર
રસાયણવિજ્ઞાનના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે, આ એવોર્ડ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અમેરિકાના કેરોલિન બર્ટોજીને, યુનિવર્સિટી ઓફ કોપનહેગન (ડેન્માર્ક) ના મોર્ટેન મિએલ્ડોલ અને યુ.એસ.માં સ્ક્રીપ્સ રિસર્ચ સેન્ટરના કે. બેરી શાર્પલેસને આપવામાં આવ્યો છે. ક્લિક કેમેસ્ટ્રી અને બાયોઓર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
કાલે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત થઇ હતી
આ પહેલા આગલા દિવસે 2022 માટે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે ક્વોન્ટમ મિકેનિક્સના ક્ષેત્રમાં કામ કરવા બદલ ત્રણ વૈજ્ઞાનિકોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફ્રાંસના વૈજ્ઞાનિક એલેન એસ્પેક્ટ, અમેરિકા સ્થિત જોન એફ ક્લાઉઝર અને ઓસ્ટ્રિયાના એન્ટોન જેલિંજરને 10 મિલિયન સ્વીડિશ ક્રોનોર (લગભગ 7.5 કરોડ રૂપિયા) મળશે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે મંગળવારે સ્કોટહોમમાં આ એવોર્ડની જાહેરાત કરી હતી.
BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Chemistry to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless “for the development of click chemistry and bioorthogonal chemistry.” pic.twitter.com/5tu6aOedy4
સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મેડિસિનનું નોબેલ પુરસ્કાર
આ વર્ષનું મેડિસિનનું નોબેલ પુરસ્કાર સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 'માનવીના ઉત્ક્રાંતિ' પરની શોધ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પાબોએ આધુનિક માનવ અને લુપ્ત થતી પ્રજાતિઓના જિનોમની તુલના કરી અને કહ્યું કે તેમાં પરસ્પર મિશ્રણ છે.
સાહિત્યના નોબેલ પુરસ્કાર આવતી કાલે એનાયત થશે
મુંબઈમાં જન્મેલા લેખક સલમાન રશ્દીને આ વર્ષે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળી શકે છે. તેમને આ એવોર્ડ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. વિવાદાસ્પદ 'સેટેનિક વર્સેસ' ના લેખકને આ વર્ષે ઓગસ્ટમાં પશ્ચિમ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા. સાહિત્યનું નોબેલ પારિતોષિક આવતીકાલે એટલે કે ગુરુવારે જાહેર કરવામાં આવશે.
નોબલ શાંતિ પુરસ્કાર શુક્રવારના જાહેર થશે
વર્ષ 2022 ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે અને અર્થશાસ્ત્રના ઇનામની જાહેરાત 10 ઓક્ટોબરે કરવામાં આવશે.