આ વર્ષના નોબલ પુરસ્કારનું એલાન થઇ ગયું છે. ફિજિયોલોજી અથવા મેડિસિનમાં શોધ માટે વિલિયમ જી કેલિન જૂનિયર, સર પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેન્જાને સંયુક્ત રૂપે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેમને કોશિકાઓના ઓક્સિજન ગ્રહણ પર કરવામાં આવેલી ગ્રહણ પર કરવામાં આવેલી શોધ માટે પુરસ્કાર મળશે.
આ વર્ષના ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રના નોબલ પુરસ્કારનું એલાન કરાયું
ઓક્સિજનનું સ્તર સેલ્યૂલર મેટાબોલિઝમ અને શારીરિક ગતિવિધિઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના પર શોધ કરી
નોબલ પુરસ્કાર સમિતિએ મેડિસિન ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર માટે સંયુક્ત રૂપે 3 નામનું એલાન કરતા ટ્વિટ કર્યું. કોશિકાઓના કામ કરવાની રીત અને ઓક્સિજન ઉપલબ્ધતા ગ્રહણ કરવાને લઇને કરવામાં આવેલી શોધ પર આ સન્માન ત્રણેય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યું છે.
BREAKING NEWS:
The 2019 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to William G. Kaelin Jr, Sir Peter J. Ratcliffe and Gregg L. Semenza “for their discoveries of how cells sense and adapt to oxygen availability.” pic.twitter.com/6m2LJclOoL
નોબલ પુરસ્કાર મેળવ્યા બાદ સર પીટર જે રેટક્લિફે તેના પર ખુશી વ્યક્ત કરી. જે સમયે રેટક્લિફના નામનું એલાન કરાયું એ સમયે તે તે ઇયૂ સિનર્જી ગ્રેટ એપ્લીકેશન પર પોતાના ડેસ્ક પર કામ કરી રહ્યા હતા.
કોણ છે શોધકર્તા?
અમેરિકી શોધકર્તા વિલિયમ જી કેલિન જૂનિયરનો જન્મ 1957માં ન્યૂયોર્કમાં થયો હતો. એમણે ડ્યૂક યૂનિવર્સિટીથી એમડીની ડિગ્રી હાંસલ કરી છે. એમણે બાલ્ટીમોરના જોન હોપકિન્સ યૂનિવર્સિટી અને બોસ્ટનના દાના ફાર્બર કેન્સર ઇન્સ્ટીટ્યૂટથી ઇન્ટરનલ મેડિસિન અને ઓન્કોલોજીમાં વિશેષજ્ઞ પ્રશિક્ષણ હાંસલ કર્યું હતું.
સર પીટર જે રેટક્લિફનો જન્મ ઇંગ્લેન્ડના લંકાશાયરમાં 1954માં થયો હતો. એમણે કેમ્બ્રિજ યૂનિવર્સિટીના ગોન્વિલે અને સાઇઅસ કોલેજથી મેડિસિનનો અભ્યાસ કર્યો. એમણે ઓક્સફોર્ડથી નેફ્રોલોજીમાં ટ્રેનિંગ હાંસલ કરી છે.
“Grant proposal deadlines wait for no-one!"
Sir Peter Ratcliffe sitting at his desk working on his EU Synergy Grant application, after learning he had been awarded this year's Nobel Prize in Physiology or Medicine.
જ્યારે ગ્રેગ એલ સેમેન્જા પણ ન્યૂયોર્કમાં રહે છે અને તેમનો જન્મ 1956માં થયો. એમણે બોસ્ટનમાં હાવર્ડ યૂનિવર્સિટીથી બાયોલોજીમાં બીએની ડિગ્રી હાંસલ કરી છે. સેમેન્જાએ પેન્સિવેનિયા યૂનિવર્સિટીથી એમડી/પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે.
આ વૈજ્ઞાનિકોએ શોધ કરી કે, કેવી રીતે ઓક્સિજનનું સ્તર આપણા સેલ્યૂલર મેટાબોલિઝમ અને શારીરિક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોની આ શોધથી એનીમિયા, કેન્સર અને અન્ય બીમારીઓ વિરુદ્ધ લડાઇમાં નવી રણનીતિ બનાવવાનો રસ્તો સ્પષ્ટ થયો છે.
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં સોમવારે નોબલ પુરસ્કારોની જાહેરાત કરાઇ છે. મંગળવારે ભૌતિક વિજ્ઞાન અને ત્યારબાદ 14 ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓનું એલાન કરવામાં આવશે. જ્યારે સ્વીડિશ અકાદમી 2018 અને 2019 બંને વર્ષો માટે સાહિત્ય નોબલ પુરસ્કારોની જાહેરાત કરશે. 2018માં યોન ઉત્પીડન મામલાં ફસાયા બાદથી સાહિત્યના નોબલ પુરસ્કારને સ્થગિત કરી દેવાયું હતું.