દુનિયાના પ્રતિષ્ઠિત નોબેલ પૂરસ્કાર (Nobel Prize For Economics) થી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી (Abhijeet Banerjee) અને તેમની પત્ની એસ્થર ડુફલો (Esther Duflo)એ અર્થવ્યવસ્થા, નાગરિકતા કાયદો સહિતના ઘણા મુદ્દાઓ પર નિવેદન આપ્યું.
અભિજીત બેનર્જી અને તેમની પત્ની એસ્થર ડુફલોએ CAA પર આપ્યુ નિવેદન
અભિજીત બેનર્જીએ કહ્યું, જ્યારે કોઇની પાસે અપાર શક્તિ હોય છે તો તમામ વસ્તુ નક્કી કરી શકે
અર્થવ્યવસ્થા, નાગરિકતા કાયદો સહિતના ઘણા મુદ્દાઓ પર નિવેદન આપ્યું
અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમની પત્ની એસ્થર ડુફ્લોએ અર્થવ્યવસ્થાને લઇને એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે, મને લાગે છે કે, એક વાત જે હું અનુભવું છું કે પરંપરાગત અર્થશાસ્ત્રે એ વાત પર જોર આપવા માટે સારો વિચાર કર્યો હતો, એ પહેલા આપ કોઇની તર્કસંગતતા પર સવાલ કરો, વિચારો કે તેઓ કેવી રીતે વિચારે છે.
અભિજીત બેનર્જીએ નાની લોન પર કહ્યું કે, લોકો નાની લોન લે છે. તેઓ ફ્રીઝ ખરીદે છે, તેઓ સારું ભોજન ખાય છે અથવા ટીવી જુએ છે. તેઓ અમીર નથી બની રહ્યા. તો સરેરાશ 90 ટકા લોકો જેમને લોન મળી હતી, આપ કહી શકો છો કે, તેમની કમાણીથી કંઇ નથી થયું.
અભિજીત બેનર્જીએ નાગરિકતા કાયદા (CAA) વિશે કહ્યું કે મને લાગે છે, ત્યાં તમામ પ્રકારના મુદ્દા છે. હું એક વાત કહેવા માંગું છું જે મને મારા ફીલ્ડમાં કરવામાં આવેલા કામના અનુભવના આધારે ચિંતિત કરે છે અને તે એ છે કે જ્યારે કોઇની પાસે અપાર શક્તિ હોય છે, તો એ વ્યક્તિ નક્કી કરી શકે છે કે, આપ આ લિસ્ટ અથવા એ લિસ્ટમાં હશો કે નહીં, તેથી જો તેઓ કહી દે કે મને વિશ્વાસ નથી આપ એક સાચા નાગરિક છો અને ધર્મ વિશે ભૂલી જાઓ તો આપ ચિંતિત થઇ શકો છો.
જ્યારે અભિજીત બેનર્જીના પત્ની એસ્થર ડુફલોએ ભારત વિશે કહ્યું, અમે લગભગ 80 દેશોમાં અધ્યયન કર્યું છે, પરંતુ ભારત એ જગ્યા છે, જ્યાં અમે સૌથી વધારે અધ્યયન કર્યું છે.