નોબેલ પુરસ્કાર વિજેતા અને રોયલ સોસાયટીના અધ્યક્ષ સર વેંકટરામન રામકૃષ્ણને નાગરિકતા સંશોધન બિલ(CAB) પર નિવેદન આપ્યું હતું. તેમણે સરકારના CAB ની આકરી નિંદા કરી જે ધર્મને નાગરિકતાનું કારણ બતાવે છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે- હું ભારતીય વૈજ્ઞાનિકો અને વિદ્વાનોના એક સમૂહ દ્વારા કરાયેલ અરજી પર વ્યક્તિગતરૂપે હસ્તાક્ષર કરીશ નહીં.
નોબેલ પુરસ્કાર વિજેતાનું નિવેદન
ભારત એક ખતરનાક મોડ લઇ રહ્યું છે
CAB બિલને લઇ વેંકટરામને કરી મોટી વાત
કારણ કે મને લાગે છે કે, આ માત્ર ભારતના નાગરિકો દ્વારા કરવામાં આવે. જો કે તેમણે આ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ભારત એક ખતરનાક દિશામાં જઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે, વેંકટરામન પાસે અમેરિકા અને UK ની 2 નાગરિકતા ધરાવે છે.
વિદેશમાં રહું છું અને ભારત માટે લગાવ : વેંકટરામન
આ મુદ્દે બોલવાનો નિર્ણય કેમ લીધો ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, મેં બોલવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે હું વિદેશમાં રહું છું અને ભારત સાથે અનેરો સ્નેહ છે. હું ભારતને હંમેશા એક મહાન સહિષ્ણુ આદર્શના રૂપે જોવા માંગુ છું. હું તેવું ઇચ્છું છું કે, ભારતને તેમાં સફળતા મળે.
આસામમાં પણ બિલનો કરાયો વિરોધ
નાગરિકતા સંશોધન બિલ પર પૂર્વોતરના રાજ્યોમાં બબાલ ચાલુ છે. આસામમાં આજે અનેક સ્થળો પર વિદ્યાર્થીઓના ટોળાં ઉમટી પડ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા હતા.
તેમના વિરોધના પગલે પોલીસે લાઠી ચાર્જ કરીને પેલેટ ગન અને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા. અનેક મુખ્ય માર્ગો પર આ વિદ્યાર્થીઓની રેલીઓ ફરતા ટ્રાફીક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.પોલીસે આ મામલે કહ્યું કે, એક કોલેજ પાસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.