ઇસ્લામાબાદ: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈ આખરે પાકિસ્તાન પરત ફરી છે. તાલિબાની આતંકીઓ દ્વારા થયેલા હુમલા બાદ મલાલા પ્રથમવાર પાકિસ્તાન પરત ફરી છે. છ વર્ષ પહેલા 2012માં તાલિબાની આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો અને ગોળી વાગી હતી. ત્યારબાદ મલાલાએ પાકિસ્તાન છોડયું હતું અને સારવાર માટે બ્રિટેન ગઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મલાલા વિદેશમાં જ રહેતી હતી.
મલાલા આજે સવારે પાકિસ્તાન એરપોર્ટ પહોંચી હતી. મલાલાના આગમન પર પાકિસ્તાનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને મલાલાને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક હોટલમાં લઈ જવાઈ હતી.
જો કે એવી પણ માહિતી મળી રહી છે કે પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસી મલાલા સાથે મુલાકાત કરી શકે છે. મલાલા પોતાના પરિવાર અને મલાલા ફંડના સીઈઓ સાથે મીટ ધ મલાલા કાર્યક્રમમાં સામેલ થશે. તે ચાર દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે.
કોણ છે મલાલા યૂસુફજઈ ?
1997માં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના સ્વાત જિલ્લામાં જન્મ થયો હતો.
તાલિબાને 2007થી મે 2009 સુધી સ્વાત પર કર્યો હતો કબજો
તાલિબાનના ભયથી યુવતીઓએ શાળાએ જવાનું કર્યું હતું બંધ
મલાલા યૂસુફજઈ ત્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરતી હતી
મલાલાનો સંઘર્ષ અહીંથી શરૂ થયો હતો
તાલિબાને DVD ડાંસ અને બ્યૂટી પાર્લર પર પ્રતિબંધ લગાવ્યો
2008માં આશરે 400 જેટલી સ્કૂલ બંધ થઈ ગઈ
2009માં મલાલાએ BBC માટે એક ડાયરી લખી
ડાયરીમાં તાલિબાનીઓના કૃત્યોનું વર્ણ કર્યું
2009માં જિયાઉદ્દીને પોતાની પુત્રીની ઓળખ જાહેર કરી
2009માં મલાલા પ્રથમ વાર દુનિયાની નજરોમાં આવી
9 ઓ~ટોબર 2012માં મલાલા પર આતંકી હુમલો થયો
આતંકીઓએ બસમાં ચઢીને કર્યું હતું ફાયશરગ
ફાયશરગમાં મલાલાના માથામાં વાગી હતી ગોળી
મલાલાને સારવાર અર્થે બ્રિટેન લઈ જવાઈ હતી
દેશ-વિદેશમાં મલાલાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી