નોબલ પુરસ્કાર મળ્યા બાદ ભારતીય અર્થતંત્ર પર કરવામાં આવેલી ગંભીર ટિપ્પણીઓને લઇને અભિજીત બેનર્જી મંગળવારે મીડિયાના સવાલોથી બચતા નજરે આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જ્યારે તેઓ મીડિયાની સામે આવ્યો તો એક પત્રકારને સવાલનો તેમણે રસપ્રદ જવાબ આપ્યો.
પીએમ મોદીની નજર તમામ વસ્તુઓ પર રહે છેઃ અભિજીત
મને ખબર છે મીડિયા મારી પાસે શું બોલાવવા માંગે છેઃ અભિજીત
'આભાર પીએમ... આ એક અદભૂત અનુભવ હતો.': અભિજીત
અભિજીત બેનર્જીએ મુલાકાતના સમયે પ્રધાનમંત્રીના જ નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ પત્રકારોએ ફેંકેલ જાળમાં નહીં ફસાય કારણ કે પ્રધાનમંત્રી તેમને સચેત કરી ચૂક્યા છે.
પીએમ મોદીએ વાતચીતની શરૂઆત એક મજાકથી કરી...
પીએમ સાથે મુલાકાત બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'મારી બહુજ મૈત્રીપૂર્ણ અને સારી મુલાકાત થઇ. પીએમ મોદીએ વાતચીતની શરૂઆત એક મજાક સાથે કરી કે કેવી રીતે મીડિયા મને (અભિજીતને) મોદી વિરોધી વાતો કરવા માટે ઉકસાવશે.'
પીએમ મોદીની નજર તમામ વસ્તુઓ પર રહે છેઃ અભિજીત
અભિજીતે કહ્યું કે, પ્રધાનમંત્રી ટીવી જોવે છે અને તેમની તમામ વસ્તુઓ પર નજર રહે છે, તેઓ મીડિયા વાળાને જોઇ રહ્યા છે. નોબલ વિજેતાએ કહ્યું કે, તેઓ (મોદી) ટીવી જોઇ રહ્યા છે અને તમને લોકોને પણ જોઇ રહ્યા છે. તેમને જાણ છે કે તમે લોકો શું કરવાના પ્રયત્નો કરી રહ્યા છો.
#WATCH Nobel Laureate Abhijit Banerjee after meeting Prime Minister Modi: Prime Minister started by cracking a joke about how the media is trying to trap me into saying anti-Modi things. He has been watching TV, he has been watching you guys, he knows what you are trying to do pic.twitter.com/sDgXnSBQqI
મને ખબર છે મીડિયા મારી પાસે શું બોલાવવા માંગે છેઃ અભિજીત
જોકે, અભિજીતે કોઇ રિપોર્ટરને દેશની આર્થિક સુસ્તીની પરિસ્થિતિ પર તેમના નિવેદન બાદ થયેલ પીએમ મોદી સાથે મુલાકાત પર ટિપ્પણી કરવા કહ્યું. આના પર અભિજીતે ઇશારામાં કહ્યું કે, તેમને બધુ સમજાઇ રહ્યું છે કે મીડિયામાં તેમની પાસેથી શું બોલાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે અભિજીતે કહ્યું હતું કે બેંકિંગ ક્ષેત્રનું સંકટ ખુબ જ ગંભીર અને ભયાનક છે. તેમણે કહ્યું હતું કે, ખુબ જ ગંભીર અને ભયાનક સ્થિતિ છે અને આપણે તેના પર ચિંતિત થવું જોઇએ. આપણે કેટલાક મહત્વના અને તાત્કાલિક ફેરફારોની જરૂરીયાત છે.
જોકે, પીએમ સાથે થયેલ વાતચીત વિશે અભિજીતે જણાવ્યું કે, તેમણે જણાવ્યું કે તેઓ શાસન વ્યવસ્થાનો ક્યા રૂપમાં જુઓ છો અને શા માટે જમીન પર લોકોને અવિશ્વાસથી તેમનું શાસન મજબૂત હોય છે.... અને કેવી રીતે શાસન પ્રક્રિયા પર મુખ્ય અધિકારીઓના નિયંત્રણનું તંત્ર તૈયાર હોય ચે જે જવાબદાર સરકારનું લક્ષ્ય પૂરૂ નથી થવા દેતા. આ પ્રક્રિયામાં તેમણે બહુ સારી રીતે જણાવ્યું કે બ્યૂરોક્રેસીને વધુ જવાબદાર બનાવવા માટે તેઓ કેવી રીતે આમાં સુધાર લાવી રહ્યા છે જેથી લોકોના વિચારોને શાસન પ્રક્રિયાનો ભાગ બનાવવાના રસ્તાઓની જાણ થઇ શકે. તેમણે કહ્યું, 'આભાર પીએમ... આ એક અદભૂત અનુભવ હતો.'