બરાદરે કહ્યું કે અમે અફઘાનિસ્તાનમાં વિદેશી સેનાઓ કબજાને સમાપ્ત કરવા માટે વર્ષો સુધી બલિદાન આપીને લડ્યાં છે.આ સંઘર્ષ ના કોઈ સત્તા માટે છે અને ના તો પદ માટે છે
તાલિબાન સરકાર બની ત્યારથી તકરારના સમાચારો આવી રહ્યાં
મુલ્લા અબ્દુલ ગની બરાદર તમામ અહેવાલો નકાર્યા
સત્તા કે પદ્દ માટે નહિં પરંતુ ઈસ્લામ માટે બલિદાન આપ્યું
મુલ્લા બરાદરે કહ્યું કે કાબુલમાં જ છું
તાલિબાન સરકાર બની ત્યારથી તકરારના સમાચારો આવી રહ્યાં
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થઈ ત્યારથી, સંગઠનમાં વિભાજન અને તકરારના સમાચારો બહાર આવ્યાં હતાં. અગાઉ હક્કાની નેટવર્કના નેતા સાથે અથડામણ બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદર માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાની અફવાઓ હતી, પછી તેણે કાબુલ છોડીને કંદહાર જવાના સમાચારો આવ્યાં હતાં. હવે મુલ્લા બરાદરે પોતે આગળ આવીને તમામ અટકળોને ફગાવી દીધી છે. મુલ્લા બરાદરે કહ્યું કે તે ન તો ઘાયલ છે. ન તો કાબુલથી ભાગી ગયો છે. તાલિબાનમાં પણ બધું સારું ચાલી રહ્યું છે.
સત્તા કે પદ્દ માટે નહિં પરંતુ ઈસ્લામ માટે બલિદાન આપ્યું
બરાદરે કહ્યું કે અમે અફઘાનિસ્તાનમાં વિદેશી દળોના કબજાને સમાપ્ત કરવા માટે ઘણા વર્ષો સુધી બલિદાન આપ્યા અને લડ્યા. આ બલિદાન અને સંઘર્ષ ન તો સત્તા માટે છે અને ન તો પદ માટે.
મુલ્લા બરાદરે તમામ અહેવાલો નકાર્યા
એક રિપોર્ટ અનુસાર મુલ્લા બરાદરે ગયા અઠવાડિયે કાબુલના રાષ્ટ્રપતિ ભવનમાં બોલાચાલીમાં ઘાયલ થયા હોવાના અહેવાલોને નકારી કાઢ્યાં હતાં. બરાદરે કહ્યું કે ના એ બિલકુલ સાચું નથી હું ભગવાનનો આભાર માનું છે. હું ફિટ છું મીડિયાના દાવામાં કોઈ સત્ય નથી કે અમારી વચ્ચે આંતરિક મતભેદ અથવા આંતરિક ઝઘડા છે.
મુલ્લા બરાદરે કહ્યું કે કાબુલમાં જ છું .
આ પહેલા બુધવારે તાલિબાન સરકારમાં નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદર અને હક્કાની નેટવર્કના ખલીલ ઉર રહેમાનના સમર્થકો વચ્ચે અથડામણના સમાચાર હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો હતો કે બરાદરે કાબુલ છોડી દીધું. જોકે બારાદારે આ વાતને નકારી છે. તે કહે છે કે તે કાબુલમાં છે.
આ પહેલા પણ મુલ્લા બરાદરે એક ઓડિયો સંદેશ જારી કર્યો હતો.
તાલિબાન સરકારમાં મતભેદોના ચર્ચાએ વેગ પકડી રહ્યા છે ત્યારથી નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદર જાહેર મંચ પરથી ગાયબ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે મુલ્લા બરાદર રાષ્ટ્રપતિ ભવનમાં હક્કાની નેટવર્ક અને તાલિબાન લડવૈયાઓ વચ્ચેની અથડામણમાં માર્યો ગયો હતો. જો કે, આ પહેલા પણ મુલ્લા બરાદરે બાદમાં તેમના મૃત્યુના સમાચારને પાયાવિહોણા ગણાવતા એક ઓડિયો સંદેશ જારી કર્યો હતો.