ભારતમાં વધી રહેલા કોરોના કેસોને કારણે ચોથી લહેર આવી હોવાની શંકા છે પરંતુ દેશના ટોચના ડોક્ટરે આ ચિંતાને નકારી કાઢી છે.
ભારતમાં વધતા કોરોના કેસોથી ચિંતા
ICMRના પૂર્વ ડિરેક્ટર અને દેશના મોટા ડોક્ટરનું નિવેદન
ભારતમાં કોરોનાની ચોથી લહેર નથી આવી
ભારતમાં કોરોના કેસ વધી રહ્યાં છે અને લોકોના મનમાં સવાલ છે કે નવા કેસ કોરોનાની ચોથી લહેરને કારણે આવી રહ્યાં છે પરંતુ દેશના મોટા ડોક્ટરે આ ચિંતાને નકારી કાઢી છે. ICMRના પૂર્વ ડિરેક્ટર અને દેશના મોટા ડોક્ટર રમણ આર ગંગાખેડકરે કહ્યું કે મને નથી લાગતું કે ભારતમાં હાલ કોરોનાની ચોથી લહેર આવી છે. સમગ્ર વિશ્વ BA.2 વેરિયન્ટનો સાક્ષી બની રહ્યું છે અને લોકો પર અસર પાડી રહ્યું છે. આપણામાંથી કેટલાક ખોટું સમજ્યાં છે કે હવે કોરોના મહામારી ગઈ એટલે માસ્કની જરુર નથી, આવા લોકો માસ્ક ઉતારી મૂક્યું છે.
I don't think this is the 4th wave. The entire world continues to witness BA.2 variant affect people across the world. Some of us have misunderstood mandatory use of a mask which has been withdrawn means no fear of acquiring infection: Dr Gangakhedkar, ex- head scientist at ICMR pic.twitter.com/yOKf1L8PDB
No new variant has emerged so far. Those who are older, those who have not taken vaccines, those who have got infected so far, need to remember to use a face mask: Dr. Raman R Gangakhedkar, former head scientist of epidemiology & communicable disease at ICMR pic.twitter.com/AyRkL2bhxC
ગંગાખેડકરે કહ્યું કે હાલમાં ભારતમાં કોઈ નવો વેરિયન્ટ સામે આવ્યો નથી.જે લોકો વૃદ્ધ છે, જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી, જેઓ અત્યાર સુધી સંક્રમિત થયા છે, તેમણે ફેસમાસ્ક પહેરવાનું યાદ રાખવું જોઈએ.
ભારતમાં કેસ વધતા ચોથી લહેરનો ડર પેદા થયો હતો
ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસ વધી રહ્યાં છે તેને કારણે ચોથી લહેર શરુ થઈ હોવાની ચિંતા છવાઈ હતી પરંતુ હવે દેશના મોટા ડોક્ટરે આ શક્યતા નકારી કાઢતા હાશકારો થયો છે. મહામારીમાં પહેલી વાર એવું થયું છે કે ભારતમાં કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ નથી તેમ છતાં પણ કેસ વધી રહ્યાં છે. કદાચ જુના વેરિયન્ટને કારણે કેસ વધી રહ્યાં હોય તેવો નિષ્ણાંતોનો મત છે.
Top scientist believes surge in COVID-19 cases will not lead to fourth wave
મહામારીમાં પહેલી વાર આવું બન્યું
દેશમાં હાલમાં કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ ન હોવા છતાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે. ડોક્ટરનું કહેવું છે કે દેશમાં હાલમાં જે જુના વેરિયન્ટ છે તેને કારણે કદાચ કેસ વધી રહ્યાં હોય તેવું બને.
ભારતમાં વધી રહ્યાં છે કોરોના કેસ
છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે. કોરોનાના કેસો દિલ્હીની સ્કૂલોમાં પણ આવવા લાગ્યા છે. વધતા કેસોને જોઈને ડીડીએમએની બેઠક થઈ હતી. જેમાં દિલ્હીની સ્કૂલોને લઈને કહેવામા આવ્યું છે કે, સ્કૂલો ફરીથી બંધ કરવામાં નહીં આવે, સ્કૂલો માટે એક્સપર્ટ સાથે વાત કરીને SOP જાહેર થશે. સ્કૂલોને ચાલુ કરવા માટે વિસ્તૃત ગાઈડલાઈન ટૂંક સમયમાં જ જાહેર કરવામા આવશે. એટલે કે સ્કૂલો હવે સમગ્રપણે બંધ કરવામાં નહીં આવે. દિલ્હી સરકાર તેના પર ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર કરશે. આ બેઠકમાં બીજા પણ અન્ય નિર્ણયો કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં માસ્ક લગાવવું ફરજિયાત
દિલ્હીમાં હવે માસ્ક લગાવાનું ફરજિયાત થઈ ગયું છે. માસ્ક ન લગાવા પર 500 રૂપિયાનો દંડ આપવો પડશે. આ અગાઉ દિલ્હીમાં ફેસ માસ્ક ન પહેરવા પર દંડ હટાવી દીધો હતો. સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખવો પડશે. સાથે જ કોરોના રસીકરણ પર પણ ભાર આપવાની વાત કરવામાં આવી છે. શાળાઓ બંધના ડરે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત છે. જો આ બેઠક બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હીમાં સ્કૂલો સમગ્રપણે બંધ થશે નહીં.