કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વિદેશી સૈનિકોની ઘૂસણખોરી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યાં છે અને કહ્યું કે આ દેશ માટે એક ચિંતાનો વિષય છે. ચિદમ્બરમે ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી 5 મેથી ચિંતાજનક મૌન સાધી બેસી ગયા છે. શું તમે કલ્પના કરી શકો છો કે સરકારના મુખિયા એવા પ્રધાનમંત્રીએ દેશમાં વિદેશી નાગરિકોની ઘૂસણખોરી પછી 7 અઠવાડિયા સુધી આ અંગે કોઇ શબ્દન કહ્યો ન હોય.
The PM has maintained a worrying silence since May 5. Can you imagine any other Head of Government not saying a word for 7 weeks since the intrusion of foreign troops into a country?
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે સેનાના વ્હોટસએપ ગ્રુપનો આભાર માન્યો અને કહ્યું કે જેના કારણે મંગળવારે બપોરે આ અંગેના સમાચાર બહાર આવ્યાં. ત્યારબાદ એક માત્ર સત્તાવાર નિવેદન વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવ્યું, જેમાં કાંઇપણ નવું ન હતું.