હૃદયનો હુમલો આમ તો કોઈ પણ ઋતુમાં કોઈ પણ વ્યક્તિને આવી શકે છે, પરંતુ શિયાળાની ઠંડી સવારમાં એનું પ્રમાણ વધી જાય છે એવાં અનેક રિસર્ચ સામે આવ્યાં છે. સૌથી વધુ હાર્ટઅટૅકના કેસ વહેલી સવારે કે મોડી રાતે જોવા મળે છે. તબીબી વિજ્ઞાનમાં વિન્ટરને હાર્ટઅટૅકની સીઝન કહી છે.
શિયાળામાં વૉક કરવાનું ટાળો
હ્રદયની તકલીફ હોય તો ચાલવાનું ટાળો
સોલ્ટ બ્લડપ્રેશર વધારવાનું કામ કરે છે
માનવીનું હૃદય મજબૂત સ્નાયુઓનું બનેલું છે. ચોવીસ કલાકમાં અંદાજે એક લાખ વખત ધબકતું હૃદય આપણા જીવંત હોવાનો પુરાવો છે. હૃદયને પોષણ આપતી રક્તવાહિનીઓમાં ક્યારેક અચાનક લોહીનો ગઠ્ઠો અટકી જાય અને હૃદયને લોહી મળવાનું બંધ થઈ જાય એને હાર્ટ-અટૅક કહે છે. શિયાળાની ઋતુમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાથી હાર્ટ પર લોડ વધતાં સ્ટ્રોક આવવાની સંભાવના બમણી થઈ જાય છે.
હૃદયને રક્ત પહોંચાડતી ધમનીઓમાં અવરોધ ઊભો થાય ત્યારે અટૅક આવી શકે છે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય એ માટે શરીરનું તાપમાન ઉષ્ણ રહેવું જોઈએ. બહારનાં તાપમાનમાં ઘટાડો થાય ત્યારે હૃદયને વધુ કામ કરવું પડે છે. શરીર ઠંડું રહે તો લોહી ગંઠાઈ જાય. ઠંડા વાતાવરણમાં ધમનીઓ સંકુચિત થઈ જતાં હાર્ટ પર પ્રેશર આવે. આ ઋતુમાં શરીરમાં પરસેવો ઓછો વળે છે પરિણામે પરસેવા વાટે બહાર ફેંકાતું મીઠું શરીરની અંદર જ રહે છે. સૉલ્ટ બ્લડપ્રેશર વધારવાનું કામ કરે છે. તેથી વિન્ટરને હાર્ટઅટૅકની સિઝન કહેવાય છે.
હૃદયની કાળજી આખું વર્ષ, જીવનભર લેવાની હોય છે. શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખવા વધુ એફર્ટ લેવા પડે છે. કોરોનરી ડિસીઝ ધરાવતા દરદીને ઠંડીમાં ચેસ્ટ પેઇન થાય, ડિસકમ્ફર્ટ ફીલ થાય એ સ્વાભાવિક છે. બહારનું વાતાવરણ ઠંડું હોય ત્યારે શરીરનું તાપમાન જળવાઈ રહેવું જોઈએ. તેથી આ મોસમમાં સિનિયર સિટિઝન અને હૃદયની બીમારીથી પીડાતા દરદીઓએ શરદી-ખાંસી જેવી સિઝનલ બીમારીથી બચવું જોઈએ અને ઠંડીમાં સવારે કે મોડી સાંજે કે રાતે બહાર ચાલવા ન જવું જોઇએ.