દિલ્હીમાં હિંસા ફેલાવનારા સામે પોલીસે કાર્યવાહી શરું કરી દીધી છે. હિંસા ફેલાતા રોકવામાં ભલે દિલ્હી પોલીસ નિષ્ફળ રહી હોય. ત્યારે પોલીસે હિંસા બાદ આરોપીઓને પકડવામાં ઘણી ઝડપ બતાવી છે. પોલીસે દિલ્હીની હિંસાને પગલે 167 લોકો સામે ફરિયાદ કરી છે. તેમજ તેમણે 885 લોકોની ધરપકડ કરી છે.
દિલ્હી હિંસામાં અત્યાર સુધી 167 FIR દાખલ
પોલીસે 885 લોકોની કરી ધરપકડ
આર્મ્સ એક્ટ હેઠળ કુલ 36 કેસ દાખલ કરાયા
ભડકાઉ પોસ્ટને લઈને 13 કેસ દાખલ કરાયા છે
દિલ્હી હિંસામાં અત્યાર સુધી પોલીસે કુલ 167 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં આર્મ્સ એક્ટ હેઠળ કુલ 36 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. ભડકાઉ પોસ્ટને લઇને 13 કેસ દાખલ કરાયા છે. ઉપરાંત પોલીસે અત્યાર સુધી કુલ 885 લોકોની ધરપકડ કરી છે.
હિંસામાં નુકસાન અંગેનો રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે
અનેક સોશિયલ એકાઉન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હિંસા બાદ સ્થિતિને થાળે પાડવાની પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હિંસામાં અત્યાર સુધી 42 લોકોના મોત થઈ ચુક્યાં છે. હિંસામાં નુકસાન અંગેનો રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે.
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપાઇ જવાબદારી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની સ્થિતિની જાણકારી આપી છે. કેજરીવાલે કહ્યું કે, ‘પ્રભાવિત લોકોની વાસ્તવિકતાની સંખ્યા જાણવા માટે કુલ 4 સબ ડિવિઝનમાં 18 મેજિસ્ટ્રેટને કામ લગાડવામાં આવ્યાં છે. પ્રભાવિતોની ઓળખ થયા બાદ વળતર ચૂકવવામાં આવશે. સાથે જ કહ્યું હતું કે અત્યાર સુધી 69 લોકોએ વળતર માટે અરજી કરી છે. જેમને રવિવાર બપોર સુધી 25 હજારનું વળતર ચૂકવી દેવામાં આવશે.