જ્યારથી જાહેર થયું કે ઓમિક્રોનની સામે હાલની તમામ વેક્સિન અસરકારક રક્ષણ આપી શકે ત્યારથી રાજ્ય સરકાર વેક્સિન માટેના અલગ અલગ નિયમ લાગુ પાડી રહી છે.
લોકોને વેક્સિન લેતા કરવા રાજ્ય સરકારે લાગુ પાડ્યો નિયમ
પંજાબ અને હરિયામાં નિયમ લાગુ
પેટ્રોલ કે રેશન પણ નહીં મળે
બીજા રાજ્યોમાં પણ બીજા નિયમ લાગુ પડાયા
ભારતમાં વધુ એક રાજ્યે લોકોને વેક્સિન લેતા કરવા માટે એક જીવનજરુરી નિયમ લાગુ પાડ્યો છે. હરિયાણામાં એક જાન્યુઆરીથી વેક્સિન લેનાર લોકોને જ મોલ, સિનેમા, હોટલ, રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ જવાની પરમિશન અપાશે. જે લોકોએ વેક્સિન નહીં લીધી હોય તેઓ આ સ્થળોએ જઈ શકશે નહીં.
1 જાન્યુઆરીથી વેક્સિન નહીં તો પેટ્રોલ નહીં
હરિયાણા સરકારે 1 જાન્યુઆરીથી રાજ્યમાં વેક્સિન નહીં તો પેટ્રોલ નહીંનો નિયમ બનાવ્યો છે. વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકોને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં સફરની પરમિશન અપાશે જે ઉપરાંત, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ, સીએનજી સ્ટેશન, એલપીજી ગેસ સિલન્ડર, મિલ્ક બૂથ, રેશનીંગની દુકાનોમાં જ બન્ને ડોઝ લેનાર લોકોને જ સામાન મળશે. કોલેજો, પોલિટેકનિક અને યુનિવર્સિટીઓને પણ ૧૮ વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓ માટે રસીકરણના આધારે જ પ્રવેશ મળશે. પાર્ક યોગશાળા, જીમ અથવા ફિટનેસ સેન્ટર પણ આ જ નિયમ લાગુ કરશે. ટ્રક અને ઓટો રિક્ષા યુનિયનમાં પણ ફક્ત તે જ લોકો જ રહેશે જેમણે બંને ડોઝ લીધા છે. ડીસીપી આ તમામ સ્થળોએ તપાસ કરવા માટે ટીમો બનાવશે.
પંજાબમાં બેંકોથી લઈને મંદિરો સુધી વેક્સિનેશન જરુરી
પંજાબ સરકારે પણ 15 જાન્યુઆરીથી વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકોને બેંકો, હોટલો, બાર-રેસ્ટોરન્ટ્સ, મોલ-શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, જીમ અને ફિટનેસ સેન્ટરમાં જવાની પરમિશન આપી છે. વેક્સિન ન લેનાર લોકો આ સ્થળોએ નહીં જઈ શકે.
હવે તો વેક્સિન લેવી જ પડશે
હરિયાણા અને પંજાબના લોકોએ હવે ફરજિયાતપણે વેક્સિન લેવી પડશે. બાકીના રાજ્યો પણ હવે લોકોને વેક્સિન લેતા કરવા માટે જાતજાતના નિયમો લાગુ પાડશે એટલે કે લોકોએ સમયસર વેક્સિન લઈ લેવી જોઈએ તેવું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.