અમદાવાદ મનપા દ્વારા શહેરીજનો માટે મહત્વનો નિર્ણય મનપા હસ્તક તમામ જાહેર સ્થળો પર જવા વેક્સિન ફરજિયાત, વેક્સિન નહીં તો પ્રવેશ નહીં
AMCના નિર્ણયની અમલવારી
વેક્સિન ન લેનારાને બસમાં એન્ટ્રી નહીં
વેક્સિન વિના નહીં કરી શકો મુસાફરી
રાજ્યમાં કોરોના કેસ ઘટ્યા છે અને કોરોના સંક્રમણ પણ ઓછું છે ત્યારે હવે અમદાવાદ મનપા દ્વારા શહેરીજનો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે,
અમદાવાદ મનપાના નિર્ણયની આજથી અમલવારી
આજથી મનપા સંચાલિક તમામ જાહેર સ્થળો પર વેક્સિન ફરજિયા કરી દેવામાં આવ્યું છે એટલું જ નહી AMTS-BRTS બસમાં પણ વેક્સિન લેનારને પ્રવેશ મળશે તેવો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે, મનપાના આ નિર્ણયની આજથી અમલવારી શરૂ કરાઈ છે ત્યારે હવે શહેરીજનો પણ મુઝવણમાં મુકાય છે.
વેક્સિન લીધી હશે તો જ જાહેર સ્થળો પર મળશે પ્રવેશ
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, એવામાં મનપા હસ્તક તમામ જાહેર સ્થળે જેવા કે કાંકરિયા, બાગ બગીચા, લાયબ્રેરી, જીમનેશિયમ સહિત મોટા ભાગના જાહેર સ્થળો ઉપર વેક્સિન લેનારને જ એન્ટ્રી આપવામાં આવશે તેવો નિર્દેશ કરાયો છે સાથે જ AMTS-BRTS બસ સ્ટેશન ઉપર વેક્સિન સર્ટિ જોયા બાદ જ બસમાં પ્રવેશ મળશે તેવી જાહેરાત કરાઈ છે.
AMC હસ્તક તમામ જગ્યાએ જવા વેક્સિન ફરજિયાત
મહત્વનું છે કે 17 સપ્ટેમ્બરે મ્યુનિ. કમિશનરે ટ્વિટ કરી નો વેક્સિન – નો એન્ટ્રીની જાહેરાત કરી હતી. જેથી હવે આજથી મનપાની જુદીજુદી તમામ સેવાઓ,જાહેર સ્થળો ઉપર કોરોના સર્ટિફિકેટની તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવા નિર્ણય કરાયો છે. મનપાના આદેશ અનુસાર 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે. પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતા પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને સોમવારથી પ્રવેશ મળી શકશે નહીં.