મુંબઈમાં આજકાલ વરસાદે આફત સર્જી છે. સતત વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. પરંતુ હવે આ આફત જાણે લોકો માટે હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ગોરેગાંવના આંબેડકર નગરમાં બુધવારે રાત્રે 10 વાગ્યા આસપાસ દિવ્યાંશુ નામનુ બાળક સડક ઉપર ફરી રહ્યું હતું. એક ઈલેક્ટ્રીક બોક્સ નીચે ખૂલી રહી ગયેલી ગટર તેને અંધારમાં દેખાઈ નહીં અને તે લપસી અંદર સરકી ગયું.
મુંબઈમાં હાલમાં વરસાદ મોત બનીને વરસ્યો છે. અત્યારે સુધીમાં અહીં મૂશળધાર વરસાદના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે હવે એક માસૂમનો જીવ દાવ પર લાગ્યો છે. બુધવારે રાત્રે ગોરેગાંવમાં એક ત્રણ વર્ષનું બાળક સકડ પર ખુલ્લી રહી ગયેલી ગટરમાં પડી ગયું. જેનો આજે અડતાલીસ કલાક વિતવા છતાં કોઈ પતો લાગ્યો નથી. ત્યારે જોઈએ આ બીએમસીની બેદરકારીનો અહેવાલ.
મુંબઈમાં આજકાલ વરસાદે આફત સર્જી છે. સતત વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. પરંતુ હવે આ આફત જાણે લોકો માટે હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ગોરેગાંવના આંબેડકર નગરમાં બુધવારે રાત્રે 10 વાગ્યા આસપાસ દિવ્યાંશુ નામનુ બાળક સડક ઉપર ફરી રહ્યું હતું. એક ઈલેક્ટ્રીક બોક્સ નીચે ખૂલી રહી ગયેલી ગટર તેને અંધારમાં દેખાઈ નહીં અને તે લપસી અંદર સરકી ગયું. સીસીટીવી ફૂટેજમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી. જો કે આ ગટરની ઊંડાઈ ઓછી છે પરંતુ તે આગળ જઈને તે ઊંડી ગટર સાથે મળી જાય છે. આશંકા એવી છે કે બાળક પાણીનાં તેજ વહેણમાં વહી ગયું છે.
બાળક ગટરમાં વહી ગયું આ ઘટનાને અડતાલીસ કલાક પસાર થવા આવ્યા છે છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. એનડીઆરએફ સાથે અન્ય ટીમ બચાવ કાર્યમાં લાગી છે અને અત્યારે પણ બચાવ અભિયાન શરૂ છે. પરંતુ બાળકને શોધવામાં કોઈ સફળતા મળી નથી. અનેક કિલોમીટર સુધી શોધખોળ કરવામાં આવી છે. પરંતુ પરિણામ શૂન્ય જ રહ્યું છે. આ ઘટના માટે બાળકના પરિવારજનોએ બીએમસીને જવાબદાર ગણાવ્યું છે. દિવ્યાંશુનાં પરિવારજનોનો આક્ષેપ છે કે, છેલ્લાં પાંચ વર્ષથી અહીં ગટરનું ઢાંકણ ખુલ્લું છે.
બીએમસીને અનેક વારલેખિત જાણ કરી હતી પરંતુ કોઈ ફાયદો ન થયો. સફાઈ માટે ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખ્યા બાદ તેને ઢાંકવાનું જ ભૂલી ગયા. તો અધિકારીઓ કહી રહ્યાં છે કે તપાસ કરવામાં આવશે કે અહીં ગટરનું ઢાંકણ કોણે ખૂલ્લું રાખ્યું હતું. બીએમસીનાં સીવરેજ વિભાગની બેદરકારીનાં કારણે એક પિતાએ એનું સંતાન ખોયું છતા 30 હજાર કરોડ રૂપિયાની મહાનગરપાલિકાનો વહીવટ કરનારા મુંબઈનાં મેયર વિશ્વનાથ મહામંડેશ્વરને સવારે આઠ વાગ્યા સુધી આ ઘટનાની જાણ જ ન હતી.
મુંબઈમાં ગટરમાં કોઈ પડી ગયું હોય તે આ પહેલી ઘટના નથી છતાં બીએમસી હજુ જાગ્યું નથી. વર્ષ-2017માં મુંબઈનાં પ્રખ્યાત ડોક્ટર દીપક અમરાકપુરનું મોત પણ ગટરના મેનહોલમાં પડી જવાના કારણે થયું હતું. એક આરટીઆઈમાં સામે આવેલી માહિતી મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈ શહેરમાં મેનહોલ, ગટર અને દરિયામાં ડૂબી જવાના અનેક કિસસા નોંધાય છે.
આ ગાળા દરમિયાના મેનહોલ, અને ગટરમાં તથા દરિયામાં ડૂબી જવાની 639 દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાઓમાં 328 લોકોના મોત થયા હતા. આપને જણાવી દઈએ કે મુંબઈમાં વરસાદ શરૂ થતાં પહેલાં જ બીએમસીએ કોઈ પણ મેનહોલને ખૂલી નહીં રાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે જેમાં અનેક લોકો ગટરમાં કે ખૂલાં મેનહોલમાં પડતાં પડતાં બચ્યાં છે. ત્યારે હવે આ ઘટના બાદ ફરી એક વાર બીએમસીની પોલ ખૂલી ગઈ છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈમાં મેનહોલ અને ગટરમાં પડી જવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે. મેનહોલ અને ગટરમાં તથા દરિયામાં ડૂબી જવાની 639 દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાઓમાં 328 લોકોનાં મોત થયા હતાં.