ટેક્સ પેયર્સને આ બજેટમાં ઝટકો મળશે. સતત વધી રહેલા ખર્ચાના કારણે ખોટને કાબૂમાં કરવા માટે આ બજેટમાં ટેક્સ છૂટ મળવાની સંભાવના એકદમ નહીંવત છે.
1 ફેબ્રુઆરી દેશનું યુનિયન બજેટ સંસદમાં રજૂ થશે
ટેક્સપેયર્સ મોટી આશા રાખીને બેઠા છે
સંભાવના જણાવે છે કે, ટેક્સછૂટમાં લાભ મળવાની શક્યતાઓ નહીંવત
ટેક્સ છૂટના સપના જોઈ રહેલા ટેક્સપેયર્સને સરકાર આ વખતના બજેટમાં મોટો ઝટકો આપવાની છે. સતત વધી રહેલા ખર્ચાના કારણે ખોટને કાબૂમાં કરવા માટે આ બજેટમાં ટેક્સ છૂટ મળવાની સંભાવના એકદમ નહીંવત છે.
RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનું કહેવું છે કે, સરકારના 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ થનારા બજેટમાં અર્થવ્યવસ્થામાં વ્યાપક અસમાનતા ઓછી કરવા અને રોજગાર વધારવા પર ભાર આપવો જોઈએ. જો કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને માળખાગત ઢાંચા પર વધારે ખર્ચ કરવાની જરૂરને જોતા આ વખતે ટેક્સમાં કાપ મુકાવાની સંભાવના નહીંવત છે.
વૃદ્ધિને ગતિ આપવાનો બજેટનો હેતું
પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે, વૃદ્ધિને ગતિ આપવાનું દરેક બજેટનો ઉદ્દેશ્ય હોય છે. આ બજેટમાં પણ આવો જ ઉદ્દેશ્ય હોવો જોઈએ. પણ આ બજેટમાં અર્થવ્યવસ્થામાં વ્યાપક અસામાનતાના નષ્ટ કરવા ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હાલમાં આવેલા વિશ્વ અસમાનતા રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, આવી રીતે વ્યાપક અસમાનતા ફક્ત નૈતિક રીતે ખોટી અને રાજકીય રીતે નુકસાનકારક છે. પણ તેનાથી આપણી દીર્ઘકાલિન વૃદ્ધિ સંભાવનાઓ પણ પ્રભાવિત થશે. ત્યારે આવા સમયે આપણે રોજગાર આધારિત વૃદ્ધિની જરૂર છે. જો આ બજેટ માટે કોઈ થીમ છે, તો તે રોજગાર હોવી જોઈએ.
મહામારીએ ગરીબો માટે સંકટ ઊભું કર્યું
સુબ્બારાવે કહ્યું કે, મહામારીના કારણે ધનિકો અને ગરીબો વચ્ચે આર્થિક ખાઈ આવી ગઈ છે અને તે વધારેને વધારે ઊંડી થતી જાય છે. તેને અનૌપચારિક અર્થવ્યવસ્થામાં કામ કરનારા ઓછી આવકવાળા માટે સંકટ ઊભું કરી દીધું છે. તો વળી ઉચ્ચી આવક ફક્ત પોતાના કમાણી માટે જ સક્ષમ નથી પણ મહામારી દરમિયાન તેમની બચત અને આવકમાં પણ વધારો થયો છે.
આવક વેરો ઘટાડવાની જરૂર
પૂર્વ ગવર્નરે કહ્યું કે, અનુભવોથી જાણવા મળે છે કે, સંરક્ષણવાદી દિવાલોની સાથે નિકાસને વધારો કરનારી નીતિ કદાચ ક્યારેય હરીફાઈ હોય છે. એટલા માટે આવક વેરો ઘટાડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આ વર્ષે દેશમાં કર સંગ્રહમાં આવેલો ઉછાળો આવતા વર્ષે ખતમ થઈ જશે કારણ કે, અનૌપચારિક ક્ષેત્ર પરથી પાટા પર આવવા લાગશે.
નિકાસ વધવાના બેવડા લાભ
તેમણે કહ્યું કે, મંદીના કારણે નોકરીઓ ઘટવા લાગી છે. આર્થિક ગતિવિધિઓના શ્રમ પ્રધાન અનૌપચારિક ક્ષેત્રથી મૂડી પ્રધાન ઔપચારિક ક્ષેત્ર તરફ કેન્દ્રીય થવાથી પણ રોજગાર સંકટ ઊભું થયું છે. રોજગાર ઉભા કરવા માટે વૃદ્ધિ જરૂરી છે. પણ પર્યાપ્ત નથી. તેના માટે પણ નિકાસ પર ભાર આપવો પડશે. તેનાથી ન પક્ત વિદેશી મુદ્રા મળશે, પણ રોજગારના અવસરો પણ ઊભા થશે.