ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે કર્યું છે કે, પશ્ચિમ બંગાળમાં કોરોના સંબંધી નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. સાથે જ કહ્યું હતું કે, બાકી રહેલ આગામી 4 તબક્કાની તમામ ચૂંટણી એકસાથે યોજવાનું કોઇ જ આયોજન નથી
પશ્ચિમ બંગાળમાં બાકી રહેલી ચૂંટણી એકસાથે નહીં યોજાય
ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા
તમામ રાજકીય પાર્ટીઓને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે કોરોનાની સ્થિતિ મુદ્દે આજે સમીક્ષા યોજી હતી જેમાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણી મુદ્દે પણ મંથન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સ્પષ્ટ નિર્ણય જાહેર કરતા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, નક્કી કરવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમમાં કોઇ જ ફેરફાર નહીં થાય.
શુક્રવારે ચૂંટણી પંચે બોલાવી ઓલ પાર્ટી મિટીંગ
ભારતમાં કોરોનાની ચિંતાજનક બીજી લહેરને ધ્યાને લેતા ચૂંટણી પંચે શુક્રવારે તમામ પાર્ટીઓની બેઠક બોલાવી છે જેમાં તમામ વિષય પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવશે.
તમામ પક્ષોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાના આપ્યા આદેશ
દેશમાં કોરોનાની ભયાનક રફ્તારને ધ્યાનમાં રાખીને, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગામી તબક્કાઓ માટેની ચૂંટણીઓ ફક્ત એક સમયે થઈ શકે છે. હવે ચૂંટણી પંચે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. જો કે, તમામ પક્ષોને પણ કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ચૂંટણી રેલીઓમાં કોરોના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં ગુરૂવારે એક જ દિવસમાં લગભગ 2 લાખ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. મોતમાં પણ સતત વધારો થતા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ આંકડા સતત ડરાવે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક 199,569 રહ્યો હતો. તો સાથે જ આ 24 કલાકમાં 1037 લોકોના મોત પણ નીપજ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ છે. કોરોનાથી પીડિત લોકોને સાજા કરવાનો દર સતત ઘટી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 89.51 થયો છે.
જાણો શું કહે છે આંકડા
દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 1,73,152 થઈ છે. ઉપચારાધીન લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક 1365704 થયો છે. સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર 1.24 ટકાનો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877ની છે. સકક 36મા દિવસે પણ કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અનેક પ્રકારની પાબંધી લગાવી રહી છે પણ આ આંક સતત વધતો જઈ રહ્યો છે. તો સવાલ એ છે કે શું લોકડાઉન જ એક વિકલ્પ બચ્યો છે.
મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક
કોરોનાના લીધે આજે પણ મહારાષ્ટ્રમાં કેસોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,952 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે. કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી. મુંબઈમાં પણ આજે 9931 નવા કેસ આવ્યા છે અને કુલ મૃત્યુઆંક વધીને 12147 સુધી પહોંચ્યો છે. અહીં રિકવરી રેટ 81.21નો જોવા મળી રહ્યો છે તો મૃત્યુ દર 1.64 ટકા જોવા મળ્યો છે.