નાગરિકતા કાયદાને લઇને દિલ્હી સહિત દેશના ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના નાગરિકતા કાયદાને લઇને 59 અરજીઓ પર સુનાવણી કરતા રોક લગાવાનો ઇન્કાર કરી દીધો છે. આ મામલે આગામી સુનાવણી 22 જાન્યુઆરીનો રોજ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટમાં આજરોજ કરવામાં આવેલી સુનાવણી દરમિયાન અટૉર્ની જનરલે કહ્યું કે એક્ટ પર સ્ટે લગાવાના લઇને જે દલીલ કરવામાં આવી રહી છે , તે એક્ટને ચેલેન્જ કરવા સમાન છે. એવામાં એક્ટ પર કોઇપણ પ્રકારનો સ્ટે ના લગાવામાં આવે.
જો કે ચીફ જસ્ટિસે CAA પર સ્ટે લગાવાની માંગણી ફગાવી દીધી. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ કહ્યું કે અમે તેના પર સ્ટે લગાવી રહ્યાં નથી. જો કે વકીલ દ્વારા જણાવામાં આવ્યું કે આસામમાં અત્યારે હિંસક પ્રદર્શન થઇ રહ્યાં છે, જેને લઇને આ એક્ટ પર હાલ સ્ટે લગાવાની જરૂરિયાત છે. જો કે ચીફ જસ્ટિસે આ સુનાવણીને તરત કરવાનો ઇન્કાર કરી દીધો છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં છેલ્લા કેટલાક દિવસથી દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે નાગરિકતા સંશોધન કાયદા પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે.
કાયદાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં 59 અરજીઓ દાખલ થઈ હતી. મંગળવારના રોજ જામિયા, સરાય જુલેના વિસ્તારમાં પ્રદર્શનકારીઓ દ્વારે બે બસ સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.
જે મામલે સુપ્રીમ કોર્ટે કાયદા પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે આસામ, બિહાર, બંગાળ, દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થયો હતો. જેમાં કેટલાક સ્થળોએ હિંસા પણ ભડકી ઉઠી હતી.
A Bench of Chief Justice SA Bobde, Justice BR Gavai and Justice Surya Kant refuses to stay the implementation of the Citizenship (Amendment) Act, 2019. Supreme Court says it will hear the pleas in January. pic.twitter.com/U4Up0yh7T9