બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / no sanction of police department is required for weddings says pradipsinh jadeja

મહામારી / લગ્ન પ્રસંગ માટે પોલીસની નહીં લેવી પડે મંજૂરી, પરંતુ આટલી બાબતનું રાખવું પડશે ખાસ ધ્યાન

Last Updated: 08:37 PM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો બીજી તરફ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે પરંતુ પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી.

  • લગ્ન માટે પોલીસ મંજૂરી નથી જરૂર
  • ગૃહરાજ્ય મંત્રીની સ્પષ્ટતા
  • ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

તેમણે વધુમાં તેમ પણ કહ્યું કે, નાગરીકોએ 100 વ્યક્તિની મર્યાદામાં કોઈપણ પ્રકારના સમારંભનું આયોજન કરવાનું રહશે. તેમજ તેમાં તમામ પ્રકારના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત છે. 

લગ્નમાં વરઘોડા અને ફુલેકાને મોટું નિવેદન 

લગ્નમાં વરઘોડા અને ફુલેકાને લઇને તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે. તેમજ સમારોહના આયોજન માટે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનની કોઇપણ પ્રકારની મંજૂરી મેળવવાની રહેશે નહીં. 

માસ્ક અને સેનિટાઇઝરનો કરવો પડશે ફરજીયાત ઉપયોગ 

કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમારંભોમાં માસ્ક અને સેનિટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરવો પડશે નહીંતર કડક કાર્યવાહી પમ કરવામાં આવશે. 

રાજકોટ પોલીસે ગઇકાલે જ કરી છે મોટી જાહેરાત 

રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનરે નિર્ણય લીધો કે સવારે 6થી રાત્રે 9 કલાક સુધી યોજાતા લગ્ન સમારહો માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. આ અંગેની જાણકારી તેમણે એક પત્રકાર પરિષદ યોજીને આપી હતી અને સત્તાવાર રીતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. 

છેલ્લા 24 કલાકમાં દરમિયાન નોંધાયા છે સૌથી વધુ 1607 નવા કેસ 

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના ગાંડા થયેલા આખલાની જેમ તોફાને ચડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક કેસ નોંધાઇ રહ્યા છે તો ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસી છે. ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1607 કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1388 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,86,446 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે. 

અમદાવાદ જિલ્લામાં 353 કેસ આવતા ચિંતા વધી 

આજે અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44,ગાંધીનગર શહેરમાં 35, ગાંધીનગર જિલ્લામાં 31 તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં નવા 51 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat કોરોના વાયરસ ગુજરાતી ન્યૂઝ પ્રદિપસિંહ જાડેજા મહામારી coronavirus
Kavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ