પંજાબ સરકારે વેક્સિન ન લેનાર સરકારી કર્મચારીઓની સેલેરી નહીં આપવાનો મોટો નિર્ણય લીધો છે.
પંજાબના સરકારી કર્મચારીઓ માટે નવો નિયમ
વેક્સિન લીધી નહીં હોય તો પગાર નહીં મળે
તમામ કર્મચારીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત
લોકોને કોરોના વેક્સિન લેતા કરવા માટે રાજ્ય સરકારોએ હવે પગલાં ઉઠાવવાનું શરુ કરી દીધું છે. પંજાબની ચન્ની સરકારે સરકારી કર્મચારીઓના વેક્સિનેશન અંગે એક મોટો નિર્ણય લેતા એક નોટિફિકિશન બહાર પાડ્યું છે નોટિફિકેશનમાં કહેવાયું કે જે સરકારી કર્મચારીઓ કોરોના વેક્સિન નહીં લેય તેમની સેલેરી અટકાવી દેવામાં આવશે.
પંજાબ સરકાર એવી પણ જાહેરાત કરી છે કે તમામ કર્મચારીઓએ વેક્સિન લેવી ફરજિયાત છે. નોટિફિકેશન કહેવાયું કે IHRML પોર્ટલ પર વેક્સિનેશન નંબર આપવો પડશે. જે સરકારી કર્મચારીઓ જાણકારી નહીં આપે તેમનો પગાર અટકાવી દેવામાં આવશે.
બીજા રાજ્યો પણ આ નિર્ણય લઈ શકે
વેક્સિન ન લેનાર સરકારી કર્મચારીઓને પગાર ન આપવાનો નિર્ણય લઈને પંજાબની ચન્ની સરકારે દેશ માટે એક મોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે. પગારનો સવાલ આવતા હવે ફરજિયાતપણે સરકારી કર્મચારીઓ વેક્સિન લેશ જ તેમાં બેમત નથી. બીજા રાજ્યોએ પણ આ નિર્ણય લાગુ પાડવા જેવો છે. ખાસ કરીને એવે સમયે કે જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે.
ભારતમાં ઓમિક્રોનની સંખ્યા થઈ 229
ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હવે ચિંતાનો વિષય બન્યો છે. ૫ દિવસમાં ઓમિક્રોનની સંખ્યા 200 ને પાર પહોંચી ગઈ છે. પાંચ દિવસ પહેલા ઓમિક્રોનના કેસ 100 હતા જે હવે 230 થયા છે. કેન્દ્ર સરકાર પણ ચેતવણી આપી ચૂકી છે ઓમિક્રોન ડેલ્ટા કરતા 3 ઘણો વધારે ચેપી છે. ઓમાઇક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૫ દિવસમાં ૧૦૦ થી ૨૦૦ ને પાર થઈ ગઈ છે. હાલ દેશમાં ઓમાઇક્રોનના લગભગ 230 કેસ નોંધાયા છે અને 15 રાજ્યોમાં પહોંચી ગયા છે. સારી વાત એ છે કે દર્દીઓ જેટલી ઝડપથી આગળ વધી રહ્યા છે, તેટલી જ ઝડપથી દર્દીઓ સાજા થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે એવી ચેતવણી પણ આપી છે કે ઓમાઇક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા વધુ ચેપી છે.