આગામી સમયમાં આવતા તહેવારોને લઈને ચિંતિત કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોને નવા આદેશ આપ્યા છે.
આગામી સમયમાં આવતા તહેવારોને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ હાઈલેવલ બેઠક બોલાવી
રાજ્યોને કહ્યું કે તહેવારો આવી રહ્યાં છે, સાવધાની રાખજો
કોરોના કાબુની છે છૂટ મળી છે તે જળવાઈ રહે તેવા પગલા ભરજો
શનિવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ દેશની કોરોનાની સમિક્ષા માટે હાઈ લેવલની બેઠક બોલાવી અને રાજ્યોના સ્વાસ્થ્ય સચિવો સાથે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પસ્ટપણે આદેશ આપ્યો કે કોરોનાકાળમાં જરા પણ છૂટછાટને અવકાશ નથી. તથા તમામ રાજ્યોએ કોરોના અનુરુપ વ્યવહારનું કડકાઈથી પાલન કરવું પડશે.
Cabinet Secretary Rajiv Gauba chairs high level meet with States/UTs on public health response to #COVID19 and progress of vaccination: Government of India
કોરોના પર મળેલી છૂટ જળવાઈ રહે તેવા પગલા ભરો-કેન્દ્ર સરકાર
બેઠકમાં રાજીવ ગૌબાએ એક દિવસમાં 2.5 કરોડથી વધારે વેક્સિન આપવા પર સ્વાસ્થ્યકર્મીઓ, સીએમઓ, ડીએમને અભિનંદન પાઠવ્યાં. રાજીવ ગૌબાએ કહ્યું કે આગામી સમયમા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યોએ તેમની રણનીતિ તૈયાર કરવી જોઈએ જેથી કરીને કોરોના પર કાબુ જળવાઈ રહે.
આગામી તહેવારોની સિઝનમાં કોરોનાની ત્રીજી લહેરના ખતરાને જોતા કેન્દ્ર સરકાર અત્યંત સતર્ક દેખાઈ રહી છે
આગામી તહેવારોની સિઝનમાં કોરોનાની ત્રીજી લહેરના ખતરાને જોતા કેન્દ્ર સરકાર અત્યંત સતર્ક દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કોરોના કેસોમાં વધારાની ચેતવણી આપીને વેક્સિન સ્વીકૃતિ, કોવિડ અનુકૂળ વ્યવહાર, જવાબદારી સાથે યાત્રા અને જવાબદારીપૂર્વક તહેવાર મનાવવાનું આહવાન કર્યું છે.
પ્રેસ બ્રીફિંગ દરમિયાન આરોગ્ય સચિવે કહ્યું કે સરવાળે કોરોનાના કેસો સ્થિર બન્યા છે અને કેરળમાં પણ કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. આગામી બે-ત્રણ મહિનામાં આપણે વધારે સતર્ક રહેવાની જરુર જેથી કરીને કેસો ન વધે, આ તહેવારોનો પણ સમય છે અને આવા સમયે જ કેસો વધતા હોય છે. તેમણે કહ્યું કે અમારી બધાને અપીલ છે કે સાવધ રહેજો અને મહામારી પ્રબંધનમાં આપણે જે લાભ મેળવ્યો છે તેને ટકી રહે તે જોવાની આપણા બધાની ફરજ છે.