ત્રણેય સેના વતી અગ્નિપથ યોજનાને લઈને એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં આ યોજનાના ફાયદા અંગે વિસ્તારથી જણાવાયું હતું.
અગ્નિપથ યોજના પર ત્રણેય સેનાની પ્રેસ કોન્ફરન્સ
અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય
વિરોધ કરનાર અગ્નિવીર તરીકે ભરતી નહીં થઈ શકે
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને એક મોટી ચેતવણી આપતા સેનાએ જાહેર કર્યું છે કે અગ્નિપથ યોજના કોઈ પણ સંજોગોમાં પાછી નહીં ખેંચાય. ત્રણેય સેનાની રવિવારની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ મુજબનું જાહેર કરવામાં આવ્યું હતું.
અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લેફ.જનરલ અનિલ પુરીએ કહ્યું કે અગ્નિપથ યોજનાને કોઈ પણ સંજોગોમાં પાછી નહીં ખેંચવામાં આવે.
વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર યુવાનો અગ્નિવીર નહીં બની શકે
તેમણે સાથે એવું પણ કહ્યું કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર યુવાનો અગ્નિવીર તરીકે સેનામાં નહીં જોડાઈ શકે. તેમણે કહ્યું કે યુવાનોએ એવું પ્રમાણપત્ર આપવું પડશે કે તેઓ કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં સામેલ નથી અને ત્યાર બાદ તેમના પ્રમાણપત્રનું વેરિફિકેશન કરવામાં આવશે અને પછી જ ભરતી થશે.
And if any FIR lodged against them, they can't join...They (aspirants) will be asked to write as part of the enrollment form that they were not part of the arson, their police verification will be done:Lt General Anil Puri, Addit'l Secy, Dept of Military Affairs #AgnipathSchemepic.twitter.com/7N1InFsBzG
આર્મીમાં તમામ ભરતીઓ હવે માત્ર અગ્નિવીર હેઠળ
આ સમય દરમિયાન રક્ષા મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સેનામાં તમામ ભરતીઓ હવે માત્ર અગ્નિવીર હેઠળ જ થશે. જે લોકોએ અગાઉ અરજી કરી હતી, તેમના માટે વયમર્યાદા વધારવામાં આવી છે. દરેકે નવેસરથી અરજી કરવી પડશે.
Indian Army's foundation in discipline. No space for arson, vandalism. Every individual will give a certificate that they were not part of protest or vandalism. Police verification is 100%, no one can join without that: Lt General Anil Puri, Addit'l Secy, Dept of Military Affairs pic.twitter.com/Ta421tRpkT
અગ્નિવીરોને પુરાવાની જરૂર પડશે કે તેઓએ કોઈ પ્રદર્શનમાં ભાગ લીધો નથી
અગ્નિવીર માટે ભરતી કરનારાઓએ પ્રમાણપત્ર આપવું પડશે કે તે કોઈ પણ પ્રકારના વિરોધમાં સામેલ થયો નથી. આ પછી પોલીસ વેરિફિકેશન પણ થશે. પોલીસ વેરિફિકેશન દરમિયાન પણ જોવા મળશે કે સહભાગીઓ કોઈપણ પ્રકારના પ્રદર્શનમાં સામેલ થયા નથી.