ચૂંટણીમાં મફતની લ્હાણી કરાવતી પાર્ટીઓની માન્યતા રદ્દ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતાએ એક અરજી દાખલ કરી હતી, જેમાં આજે સુનાવણી થઈ હતી.
મફતની લ્હાણી કરાવતી પાર્ટીને બંધ કરો
સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી
ચૂંટણી પંચે કોર્ટમાં રજૂ કર્યો આ જવાબ
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તે મફતની વસ્તુઓ વહેંચવાના વચનો આપનારી પાર્ટીની માન્યતા રદ્દ કરી શકે નહીં. આયોગે કહ્યું કે, આવું કરવાનું તેમના અધિકારોમાં નથી આવતું. એક અરજી પર કોર્ટમાં દાખલ કરવામા આવેલા જવાબમાં પંચે આ વાત કહી હતી કે, કઈ પણ સરકારની નીતિ શું હશે, તેને ચૂંટણી પંચ નિયંત્રિત કરી શકે નહીં. જો આવું કરવાથી કોઈ રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે, તો તેના માટે રાજ્યની જનતાએ નિર્ણય લેવો જોઈએ.
ભાજપના નેતાએ કરી હતી અપીલ
ચૂંટણી પંચે આ જવાબ 25 જાન્યુઆરીએ સુપ્રીમ તરફથી આપવામાં આવેલી નોટિસ પર આપ્યો છે. કોર્ટે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર નોટિસ જાહેર કરી હતી. અરજીમાં મફત વસ્તુઓ વહેંચવાના વચન આપનારી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારની જાહેરાતોથી મતદારોને લાંચ આપવા બરાબર છે. આવી જાહેરાત ઉમેદવારોની વચ્ચે અસમાનતા તો લાવે જ છે, પણ સાથે સાથે ચૂંટણી બાદ સરકારી ખજાના પર બિનજરૂરી બોઝ પણ આવે છે.
ચૂંટણી પંચે કહ્યું અમારી પાસે શક્તિ નથી
ચૂંટણી પંચે જણાવ્યું કે, તેની પાસે કોઈ પાર્ટીની માન્યતા રદ કરવાની શક્તિ મર્યાદિત મામલામાં જ છે. તે આવુ ત્યારે જ કરી શકે, જ્યારે એ સાબિત થઈ જાય કે, પાર્ટીએ છેતરપીંડી અથવા દગો કરીને માન્યતા પ્રાપ્ત કરી હતી અને પાર્ટી સંવિધાનનું પાલન નથી કરતી. આયોગે પોતાના એફિડેવિટમાં કહ્યું છે કે, તેમણે આ શક્તિનો વિસ્તાર માટે 2016માં કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. જો કે, હજૂ સુધી તેના પર કોઈ નિર્ણય આવ્યો નથી. આયોગે એવુ પણ કહ્યું કે, તે ફક્ત એ જોવે છે કે, કોઈ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી મેનિફેસ્ટોમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય છે કે, નહીં.
આગામી સુનાવણી
ધ્યાન આપવા જેવી બાબત અહીં એ છે કે, અરજી પર સુપ્રમ કોર્ટે કેન્દ્રીય વિધિ અને ન્યાય મંત્રાલયને પણ નોટિસ આપી હતી. જો કે, હજૂ સુધી મંત્રાલયનો જવાબ આવ્યો ન થી. સુપ્રીમ કોર્ટની ટેકનિકલ સિસ્ટમમાં મામલાની આગામી સુનાવણી તારીખ 18 મે દેખાઈ રહી છે.