દિલ્હી હાઈકોર્ટની આકરી ફટકાર બાદ કેન્દ્ર સરકારે ઓદ્યોગિક હેતુઓ માટેના ઓક્સિજનના સપ્લાય પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે વેદાંતના પ્લાન્ટમાં ધમધોકાર ઓક્સિજન બનાવાશે તથા હોસ્પિટલોને પૂરો પાડવામાં આવશે. હાલમાં પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનના આરોપસર વેદાંતોના આ પ્લાન્ટ બંધ પડેલો છે.
ઓક્સિજન સપ્લાય માટે ગૃહ મંત્રાલયના 7 પોઈન્ટ
(1) આંતરરાજ્યીય મેડિકલ ઓક્સિજન ટેન્કરની અવરજવરની મંજૂરી
(2) ઓક્સિજન ઉત્પાદકો ગમે તે રાજ્યમાં ઓક્સિજન ટેન્કર મોકલી શકશે.
(3) નાઈટ કર્ફ્યુમાં પણ ઓક્સિજન ટેન્કરની અવરજવર થઈ શકશે.
(4) કોઈ પણ વહિવટીતંત્ર ઓક્સિજન વાહનને કોઈ ખાસ જિલ્લા કે વિસ્તાર માટે ઓક્સિજન સપ્લાયનું નહીં જણાવી શકે
(5) ઓદ્યોગિક હેતુ માટેના ઓક્સિજન સપ્લાય પર 22 એપ્રિલ સુધી પ્રતિબંધ
(6) મેડિકલ ઓક્સિજનના સપ્લાય કોઈ અડચણ ન આવે તે જવાબદારી રાજ્ય સરકારોની રહેશે.
(7) આ તમામ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કમિશનર, એસપી, ડીસીપીની રહેશે.
કેન્દ્ર સરકારના વકીસ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું કે તમિલનાડુમાં બંધ પડેલા વેદાંતાના પ્લાન્ટને ફરી ચાલુ કરવામાં આવશે તથા તેમાં ઓક્સિજન બનાવવામાં આવે અને તે હોસ્પિટલોને નિશુલ્ક પૂરો પાડવામાં આવશે.
ઓક્સિજન સંબંધિત બીજો એક મોટો નિર્ણય લેતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓક્સિજનનો સપ્લાય પૂરો પાડતા વાહનોની અવરજવરને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે જણાવ્યું કે ઓક્સિજન ઉત્પાદકો અને સપ્લાયર્સ તેમના રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની બહાર ક્યાંય પણ ઓક્સિજનનો સપ્લાય પૂરો પાડી શકશે.