કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે જે દલિત ઇસ્લામ અથવા ઇસાઇ ધર્મની પસંદગી કરશે તેમને અનામતનો લાભ નહીં મળે.
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં અનુસૂચિત જાતિને લઇને મોટું નિવેદન આપ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ઇસ્લામ અને ઇસાઇ ધર્મમાં જોડાનારા દલિતોને અનામતનો લાભ નહીં મળે.
આ સાથે જ રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કરી દીધું કે એવા લોકો અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકથી સંસદ અથવા વિધાનસભાની ચૂંટણી પણ નહીં લડી શકે. રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં ટ્વિટ સહિત ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચેતાવણી આપી હતી.
ભારતીય જનતા પાર્ટીના સભ્ય જીવીએલ નરસિમ્હા રાવે કાયદા મંત્રીથી બીજા ધર્મોને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર રવિશંકર પ્રસાદે કહ્યું કે જે લોકો હિંદુ, શિખ અને બૌદ્ધ ધર્મ અપનાવે છે, તેઓ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ સાથે જ આ ધર્મોમાં સામેલ થનારા લોકોને અનામતનો લાભ પણ મળશે. તે સિવાય તેઓને અનામત બંધારણીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડવાના માપદંડને લઇને પણ વાતચીત થિ.
કાયદા મંત્રી એ સંવિધાન (અનૂસૂચિત જાતિ)ના પેરા 3 નો સંદર્ભ આપતા કહ્યું કે તેના હેઠળ કોઇપણ વ્યક્તિ જે હિંદુ, શિખ અથવા બૌદ્ધ સિવાય કોઇપણ ધર્મનો દાવો કરે છે, તો તેઓને અનુસૂચિત જાતિનો સભ્ય નહી માનવામાં આવે. આ સાથે જ તેઓએ સ્પષ્ટ કર્યું કે પ્રતિનિધિત્વ કાયદામાં કોઇ પણ સંશોધનને લઇને પ્રસ્તાવ લાવવામાં આવ્યો નથી.
સોશિયલ પ્લેટફોર્મને ચેતાવણી
સંસદમાં સવાલ-જવાબ દરમિયાન રવિશંકરે કહ્યું, 'ટ્વિટર, ફેસબુક, લિંકડિન અથવા વોટ્સએપ કોઇપણ હોય. ખોટુ કરવા પર આ બધા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવામાં આવશે. રવિશંકરે કહ્યું કે ભારતમાં કામ કરો. તમારા અહીં કરોડો ફોલોઅર્સ છે. પૈસા કમાવો, પરંતુ તમારે ભારતીય કાયદો અને બંધારણનું પાલન કરવું પડશે.