મોંઘવારીથી પરેશાન જનતાને બજેટ 2022થી કંઇક આશાઓ હતી પરંતુ સામાન્ય વર્ગ તો રાહ જોતો જ રહી ગયો.આ વર્ષના બજેટમાં મિડલ ક્લાસ વર્ગને નિરાશા સાંપડી
બજેટ 2022 સામાન્ય માણસ માટે નિરાશાજનક
પગારદાર વર્ગને કોઇ રાહત નહી
ઈન્કમ ટેક્સ સ્લેબને રાખ્યો યથાવત
મોંઘવારીથી પરેશાન જનતાને આશા હતી કે વર્ષ 2022-23ના બજેટમાં સામાન્ય નાગરિકોને કંઇક રાહત મળશે. પરંતુ મિડલ ક્લાસની આ આશા પર પાણી ફરી વળ્યુ છે. કારણ કે આ વખતે બજેટમાં મિડલ ક્લાસ લોકો માટે કોઇ ખાસ જાહેરાત કરવામાં આવી નથી. ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફારા કરવામાં આવ્યો નથી
સામાન્ય માણસની આશા પર ફરી વળ્યુ પાણી
2022-23ના બજેટમાં પગારદાર વર્ગને કોઈ રાહત મળી નથી. મોદી સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખવાની મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારનું સરકારનું કોઈ આયોજન નથી, તેને યથાવત સ્થિતિએ જાળવી રખાયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડાયરેક્ટ ટેક્સના મામલે મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે ભારતમાં અપડેટેડ ટેક્સ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. એટેલે કે આ બજેટથી આમ આદમીના બજેટમાં ઇન્કમ ટેક્સને લઇને કોઇ રાહત મળી નથી. એનો ચોખ્ખો મતલબ એ છે કે ટેક્સના રુપમાં જતા મૂડી પ્રવાહમાં કોઇ બચત થશે નહી.
ક્રિપ્ટોકરન્સી પર લાગશે 30 ટકા કર
નિર્મલા સીતારામણે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લગાડવાની પણ જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લગાડવાનો સરકારનો પ્રસ્તાવ છે.