ગુજરાતનાં દિગ્ગજ નેતા નીતિન પટેલે કહ્યું હતું કે તેઓને મુખ્યમંત્રી ન બન્યાનો કોઈ રંજ નથી. તેઓ છ વાર ધારાસભ્ય બન્યા છે અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.
મુખ્યમંત્રી ન બન્યાનો કોઈ રંજ નથી
નસીબ, સમય સંજોગને આધીન બધુ થતું હોય છે
હું 6 વાર હું ધારાસભ્ય બન્યો
મુખ્યમંત્રી ન બન્યાનો કોઈ રંજ નથી
ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા નીતિન પટેલે કહ્યું હતું કે તેઓને મુખ્યમંત્રી ન બન્યાનો કોઈ રંજ નથી. તેઓ છ વાર ધારાસભ્ય બન્યા છે અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.
મરી નારાજગીની વાત ખોટી
કોઈપણ રાજનેતા હોય એ પહેલાં લોકોના દિલ માં હોય છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપ સાથે જોડાયેલ કાર્યકાર છુ. હું 6 વાર હું ધારાસભ્ય બન્યો એ મતદાતાઓના પ્રેમ ના કારણે બન્યો. હું હજારો કાર્યકરોઓને માર્ગદર્શન આપું છું. હું નારાજ થાવ એ યોગ્ય નથી. હવે મીડિયા મંત્રીમંડળ ને લઈ પણ વાતો ચલાવશે તેમણે કહ્યું હતું કે મરી નારાજગીની વાતો ખોટી છે.
નસીબ, સમય સંજોગને આધીન બધુ થતું હોય છે
તેમણે કહ્યું હતું કે બધુ નસીબ, સમય સંજોગને આધીન હોય છે. તેમણે મુખ્યમંત્રી ન બનવાનો કોઈ રંજ નથી.
નવા મુખ્યમંત્રીને ગણાવ્યા મિત્ર
સમગ્ર મામલે નિતીન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લીધા બાદ એવું કહ્યું કે અમે હવે સાથે મળીને કામ કરીશું. ઉપરાંત તેમણે ભૂપેન્દ્ર પટેલને પોતાના મિત્ર ગણાવીને કહ્યું કે તેમને સલાહ સૂચન આપવી મારી ફરજ છે. સાથેજ તેમણે કહ્યું કે પાર્ટી અને કાર્યકર્તાઓ માટે હું હંમેશા સાથે ઉભો છું. મારા પાડોશી અને મિત્ર ભૂપેન્દ્રભાઈને સલાહ સૂચન આપવા મારી ફરજ છે એવું પણ તેમણે કહ્યું હતું.
લોકપ્રિય પાટીદાર નેતા
પાટીદાર નેતા નિતિન પટેલ મહેસાણાના લોકપ્રિય નેતા છે તેઓ ગુજરાતનાં ડેપ્યુટી સીએમ પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં આરોગ્ય મંત્રી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિસનગરમાં થયો હતો. તેઓ 1990 થી 1995, 1995-1997 અને 1998-2002 અને 2012-2021 દરમિયાન વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. 5 ઓગસ્ટ 2016 થી તેઓ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા હતા.
નીતિન પટેલ હાલમાં ડેપ્યુટી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ પાટીદાર સમાજમાં સૌથી મોટા ચેહરો માનવામાં આવે છે. તેઓ ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજ પર પ્રભાવ ધરાવતા નેતા છે. સિવિલ સર્વન્ટસ સાથે પણ સારી ઓળખાણ તેઓ તેમના બહોળા રાજકીય અનુભવન કારણે 2022માં ભાજપ સામે આવનારા પડકારોને પહોંચી વળવા સક્ષમ હોવા છતાં અને તેમની વહીવટી કુશળતાના કારણે અધિકારીઓ પર પક્ડ ધરાવતા હોવા છતાં તેમને ગુજરાતની ધુરા મળી ન્હોતી. વહિવટ ક્ષમતા અને કુશળતામાં તેઓ માહિર છે. તેઓ ભાજપના હિદુત્વના એજન્ડમાં પણ ફીટ બેસે છે. કારણ કે થોડા દિવસ પહેલા જ તેમણે હિન્દુ હશે તો જ બંધારણ હશે તેવું નિવેદન આપ્યું હતું જેને લઈને પાછળથી વિવાદ પણ થયો હતો. સંગઠન અને સરકારના તાલમેલ સાથે ચાલી શકે છે નીતિન પટેલ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ સી આર પાટીલ અને નીતિન પટેલની કેમિસ્ટ્રી સારી જામે છે. સરકારમાં નીતિન પટેલની ટ્રબલ શુટર તરીકેની ભુમિકા રહી છે પરંતુ હવે તેમણે પાર્ટીના નિર્ણયનએ માથે ચડાવ્યો છે.