પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ વચ્ચે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવી જશે? આ સવાલ હવે ફરી ચર્ચા જગાવી રહ્યો છે. લોકસભામાં આજે સાંસદોએ સરકારને પણ આ સવાલ કર્યો હતો. આ ઉપરાંત જમવાના તેલના વધતાં ભાવ વિશે પણ સવાલો કરવામાં આવ્યા હતા. આ બધા જ સવાલો પર સરકાર શું શું જવાબ આપ્યા તે જાણો.
લોકસભામાં સાંસદોએ સરકારને આ સવાલ કર્યો
શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવશે કે નહીં?
નાણાંમંત્રી સીતારમણે આપ્યો જવાબ
નાણાંમંત્રી સીતારમણે આપ્યો જવાબ
નાણાંમંત્રીએ આજે રાજ્યસભામાં કહ્યું કે GST કાઉન્સિલે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે થઈને હજી સુધી કોઈ વિચારણા કરી નથી. નાણાં મંત્રીએ સ્પષ્ટ રીતે કહ્યું કે પેટ્રોલિયમ પર એક્સાઈઝ ડયુટીનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલોપમેન્ટ વર્કર્સ માટે હોય છે. વર્તમાનમાં રાજકીય હાલત જોઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા સોમવારે લોકસભામાં પેટ્રોલ અને પ્રાકૃતિક ગેસ મંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે GST કાઉન્સિલે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે ભલામણ કરી નથી.
શું હતો આ સમગ્ર સવાલ?
લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું નાંણામંત્રી એ બતાવવાની કૃપા કરશે કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં ન લાવાનું શું કારણ છે? શું સરકારને પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટેની અરજીઓ મળી છે કે નહીં? જો અરજીઓ મળી છે તો પછી હજી સુધી સરકારે શું એક્શન લીધું છે? સાથે જ સરકારને આએ પણ પૂછવામાં આવ્યું કે શું GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ, અને LPGને GSTના દાયરામાં લાવાની ચર્ચા થઈ છે કે નહીં? શું ક્યારેય રાજ્યો સાથે આ વિશે કોઈ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે કે નહીં.
સરકાર તરફથી પણ મળ્યો જવાબ
આ સવાલોનો જવાબ રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ આપ્યો. તેમણે સાંસદોને કહ્યું કે પેટ્રોલ ડીઝલ અને LPGને GSTમાં કાઉન્સિલમાં ચર્ચા કરવાની જરૂર પડશે. અત્યાર સુધીમાં GST કાઉન્સિલ જેમાં રાજ્યોનું પણ પ્રતિનધિત્વ છે, તો ત્યાં પણ આ વિશે કોઈ ચર્ચા કરી નથી. વધુમાં તેમણે કહ્યું કે સરકારને પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટેની અરજીઓ મળી છે. પણ આ માટેની છેલ્લી બેઠક 12 જૂન,2021ના રોજ થઈ હતી.