કેન્દ્ર સરકારે લોકસભામા જણાવી દીધું છે કે 8મું પગાર પંચ લાવવાનો સરકારનો કોઈ વિચાર નથી.
8મા પગાર પંચને લઈને મોટો ભ્રમ દૂર કર્યો સરકારે
કહ્યું કે 8મું પગાર પંચ લાવવાનો સરકારનો કોઈ વિચાર નથી
8મા પગાર પંચને લઈને કર્મચારીઓમાં ફેલાયો હતો ભ્રમ
સરકારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપી છે. સરકારે માહિતી આપી છે કે તેના કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવા માટે કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે 8માં કેન્દ્રીય પગારપંચના અમલ બાદ કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવશે અને ડીએ સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે.
8મું પગાર પંચ લાવવાનો સરકારનો કોઈ વિચાર નથી- સરકારનો જવાબ
લોકસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે 8માં કેન્દ્રીય પગાર પંચની સમયસર રચના સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ રાખે છે? તેના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, આવો કોઇ પ્રસ્તાવ નથી.
7મું કેન્દ્રીય પગાર પંચ લાગુ
ઉલ્લેખનીય છે કે હાલમાં 7મું કેન્દ્રીય પગાર પંચ લાગુ છે. તેની ભલામણોના આધારે કેન્દ્રીય કર્મચારીઓને પગાર કે ડીએ વગેરે જેવી સુવિધાઓ મળે છે.
દર દશ વર્ષે નવું પગાર પંચ આવે છે
1947 થી સાત પગાર પંચની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર દર 10 વર્ષ પછી સરકારી કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે પગાર પંચની રચના કરે છે. જાન્યુઆરી 1946માં ભારતનું પ્રથમ પગારપંચ સ્થપાયું હતું. પગાર પંચનું બંધારણીય માળખું ખર્ચ વિભાગ (નાણાં મંત્રાલય) હેઠળ આવે છે.
મોંઘવારી ભથ્થાની પ્રતિક્ષા
કેન્દ્ર સરકારના કર્મચારીઓ બીજા છ માસિક ગાળામાં મોંઘવારી ભથ્થાની ખૂબ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહી છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં ટૂંક સમયમાં નિર્ણય કરે તેવી શક્યતા છે.