લોકસભામાં કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે આધાર અને સોશિયલ મીડિયા પ્રોફાઇલને જોડવાનો કોઇ પ્રસ્તાવ નથી. આ પહેલા ગત ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર કાર્ડ (Aadhaar Card) થી લિંક કરવાની અરજીને ફગાવી દીધી હતી.
આધાર અને સોશિયલ મીડિયા પ્રોફાઇલને જોડવાનો કોઇ પ્રસ્તાવ નથી : મોદી સરકાર
ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયાને આધાર કાર્ડથી લિંક કરવાની અરજીને ફગાવી હતી
BJP નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી
સોશિયલ મીડિયાથી આધારને લિંક કરવાનો મામલો લાંબા સમયથી ચર્ચામાં છે. આ અંગે દાવો કરવામાં આવતો રહ્યો છે કે તેના કારણે ફેક ન્યૂઝ અને પેઇડ ન્યૂઝ પર અંકુશ આવશે. પરંતુ સુપ્રીમ કોર્ટે પહેલા જ આ સંબંધમાં કરવામાં આવેલી એક અરજીને ફગાવી દીધી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય તરફથી દાખલ કરાયેલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આધારથી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જોડવાથી ડુપ્લીકેટ, ફેક અને ઘોસ્ટ એકાઉન્ટ પર અંકુશ લગાવી શકાશે.
સુપ્રીમ કોર્ટમાં થઇ છે સુનાવણી
આ પહેલા ફેસબુક, ટ્વિટર સહીત સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મને આધારથી લિંક મામલાને લઇને થયેલી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, અમે સાંભળ્યું છે કે સરકાર સોશિયલ મીડિયા લિંકને લઇને ગાઇડલાઇન લઇને આવી રહી છે. આ ખુબ જ જરૂરી છે, પરંતુ પ્રાઇવર્સીનો પણ ખ્યાલ રાખવો જોઇએ. ઇન્ટરનેટ વાઇલ્ડ વેસ્ટની જેમ છે.
જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની બેન્ચ મામલાની સુનાવણી કરી હતી. જસ્ટિસ ગુપ્તાએ કહ્યું હતું કે કોર્ટની સાથે સરકાર અને આઇટી ડિપાર્ટમેન્ટ પણ તેને જુએ અને સમસ્યાનો ઉકેલ શોધે.